પંજાબના નવા સીએમ ભગવંત માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, 24 માર્ચના રોજ કરશે મુલાકાત

ભગવંત માને 16 માર્ચના રોજ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને સાથે કામ કરવાની વાત કરી હતી.

પંજાબના નવા સીએમ ભગવંત માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, 24 માર્ચના રોજ કરશે મુલાકાત
Bhagwant Mann - Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:44 PM

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) ગુરુવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) મળવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી આ બેઠક સૌજન્ય મુલાકાત હશે. આજે જ ટ્વીટ કરીને તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો હતો. આપને જણાવી દઈએ કે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ નેતા વડાપ્રધાનને મળવાની પરંપરા રહી છે. આ પહેલા 16 માર્ચના રોજ ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને સાથે કામ કરવાની વાત કરી હતી.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને સોમવારે તેમના કેબિનેટના સભ્યોને પોર્ટફોલિયોની ફાળવણી કરી. મુખ્યમંત્રીએ ગૃહ અને ન્યાય વિભાગ પોતાની પાસે રાખ્યો છે જ્યારે હરપાલ સિંહ ચીમાને નાણા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. શનિવારે માનની આગેવાની હેઠળની કેબિનેટમાં દસ મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. માને કર્મચારી, હાઉસિંગ અને શહેરી વિકાસ, ઉદ્યોગ અને વાણિજ્ય, કૃષિ અને ખેડૂત કલ્યાણ, બાગાયત, સંસદીય બાબતો, રોજગાર સર્જન અને તાલીમ, નવી અને નવીનીકરણીય ઉર્જા અને માહિતી અને જનસંપર્ક સહિત 27 વિભાગો જાળવી રાખ્યા છે.

હરપાલ ચીમાને નાણા મંત્રાલયની જવાબદારી મળી

હરપાલ સિંહ ચીમાને નાણા, આયોજન, કાર્યક્રમ અમલીકરણ, આબકારી અને કરવેરા અને સહકાર વિભાગો આપવામાં આવ્યા છે. ડો.બલજીત કૌરને સામાજિક ન્યાય, સશક્તિકરણ અને લઘુમતી અને સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. હરભજન સિંહને પબ્લિક વર્ક્સ અને ઇલેક્ટ્રિસિટી વિભાગ આપવામાં આવ્યો છે જ્યારે મંત્રી વિજય સિંગલાને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિભાગ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સૌથી યુવા મંત્રી હરજોત સિંહને કાયદા મંત્રાલય

મંત્રી લાલ ચંદને ખાદ્ય અને નાગરિક પુરવઠા, ઉપભોક્તા બાબતો, વન અને વન્યજીવન વિભાગની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગુરમીત સિંહ મીત હરેનને શાળા શિક્ષણ, રમતગમત અને યુવા સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ વિભાગો આપવામાં આવ્યા છે. કુલદીપ સિંહ ધાલીવાલને ગ્રામીણ વિકાસ અને પંચાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ અને NRI (બિન-નિવાસી ભારતીય) બાબતોના વિભાગની ફાળવણી કરવામાં આવી છે. લાલજીત સિંહ ભુલ્લરને ટ્રાન્સપોર્ટ અને હોસ્પિટાલિટીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

બ્રહ્મ શંકર ઝિમ્પાને મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન, જળ સંસાધન અને પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. માનની આગેવાની હેઠળની કેબિનેટમાં સૌથી યુવા મંત્રી હરજોત સિંહને કાનૂની અને કાયદાકીય બાબતો, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતો અને જેલ વિભાગની જવાબદારી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Delhi : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના ત્રણ નગર નિગમો એક થશે, કેબિનેટે આપી મંજૂરી

આ પણ વાંચો : Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">