Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

Gulf Investment Summit: ગલ્ફ દેશોના પ્રતિનિધિ મંડળના સભ્યએ કાશ્મીર ખીણમાં રોજગારીની તકોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સ્થળ "પૃથ્વી પર સ્વર્ગ જેવું" છે.

Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર
Gulf Investment Summit in Srinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:30 PM

Gulf Investment Summit in Srinagar: જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) મૂડી રોકાણની તકો શોધવા માટે શ્રીનગરમાં ગલ્ફ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા (Jammu Kashmir LG Manoj Sinha) એ ભાગ લીધો હતો. એલજી મનોજ સિન્હા અને ગલ્ફ દેશોના સીઈઓના પ્રતિનિધિઓએ ગલ્ફ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં (Gulf Investment Summit) હાજરી આપ્યા બાદ ઘાટીના કારીગરો સાથે વાતચીત કરી હતી. ગલ્ફ ડેલિગેશનના એક સભ્યએ કાશ્મીર ખીણમાં રોજગારીની તકોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સ્થળ “પૃથ્વી પર સ્વર્ગ જેવું” છે.

અમીરાત ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટના વડા અબ્દુલ્લા અલ શૈબાનીએ જણાવ્યું હતું કે અમે જમ્મુ અને કાશ્મીરની અમારી મુલાકાતથી પ્રભાવિત થયા છીએ, જેમાં તેના લોકો માટે મોટી સંભાવનાઓ છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે મારો અંદાજ છે કે જ્યારે મૂડીરોકાણ વાસ્તવિક સ્વરૂપે આકાર પામશે ત્યારે ઓછામાં ઓછા 6-7 લાખ લોકોને રોજગાર મળશે. અમારી પાસે 70,000 કરોડનો પ્રસ્તાવ છે, અમે 27,000 કરોડના મૂડીરોકાણને ક્લીયર કર્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુબઈ એક્સપોને આમંત્રણ આપ્યું હતું

જણાવી દઈએ કે ગલ્ફ દેશોનું 36 સભ્યોનું પ્રતિનિધિમંડળ, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણની તકો શોધવા માટે અહીં પહોંચ્યું છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જાન્યુઆરીમાં આયોજિત દુબઈ એક્સપો માટે આમંત્રણ આપ્યું હતું, જેના આધારે આ પ્રતિનિધિમંડળ અહીં પહોંચ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળમાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ટેલિકોમ, આયાત-નિકાસ અને અન્ય ક્ષેત્રોના ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે અને શારજાહમાં શાસક પરિવારનો એક સભ્ય પણ તેનો ભાગ છે.

આ પણ વાંચોઃ

The Kashmir Files BO Collection Day 11 : વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટુંક સમયમાં જ રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે

આ પણ વાંચોઃ

World Water Day: એક નળમાંથી ટપકતું પાણી રોકવામાં આવે તો વાર્ષિક બચાવી શકાય છે એક લાખ લિટર પાણી, જાણો આવા રસપ્રદ તથ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">