Prophet Muhammad: નૂપુર શર્માને મુંબઈ પોલીસનું તેડુ, 22 જૂને હાજર થવાનું ફરમાન
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીની ઘણા મુસ્લિમ દેશો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપે રવિવારે શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેના દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને હાંકી કાઢ્યા હતા.
દિલ્હી પોલીસે નૂપુર શર્મા (Nupur Sharma) અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે, જેમને પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ધમકી મળ્યા બાદ નુપુર શર્માને સુરક્ષા આપવામાં આવી છે. નૂપુરને પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી બાદથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેની સામે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને સુરક્ષાની વિનંતી કરી. આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસે તેને અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે. અહીં, પયગંબર મોહમ્મદ વિશે આપવામાં આવેલા નિવેદનના આધારે નૂપુર શર્મા વિરુદ્ધ મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ તેમને પણ મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યું છે. પોલીસે તેમને 22 જૂને બોલાવ્યા છે.
અજાણ્યા લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર શર્માએ 28 મેના રોજ વિવિધ વ્યક્તિઓ સામે જાનથી મારી નાખવાની ધમકીઓના સંબંધમાં સાયબર સેલ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 506 (ગુનાહિત ધાકધમકી), 507 (અનામી સંદેશાવ્યવહાર દ્વારા ફોજદારી ધાકધમકી) અને 509 (શબ્દ, હાવભાવ અથવા કૃત્ય,મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના હેતુથી) હેઠળ અજાણ્યા વ્યક્તિઓની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું “તપાસ દરમિયાન શર્માએ દુશ્મનીને પ્રોત્સાહન આપવા બદલ કેટલાક લોકો સામે બીજી ફરિયાદ નોંધાવી હતી.” ફરિયાદની તપાસ બાદ આ કેસમાં IPCની કલમ 153A ઉમેરવામાં આવી હતી. Twitter Inc ને નોટિસ મોકલવામાં આવી છે અને તેના જવાબની રાહ જોવાઈ રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
મુસ્લિમ દેશોએ વિવાદાસ્પદ ટિપ્પણીઓની આકરી ટીકા કરી હતી
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીની ઘણા મુસ્લિમ દેશો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપે રવિવારે શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેના દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને હાંકી કાઢ્યા હતા. મુસ્લિમ સંગઠનોના વિરોધ અને કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોની તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ભાજપે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોના અપમાનની સખત નિંદા કરે છે.