AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી”- 2015માં લખાયેલા લાન્સ પ્રાઈઝના આ પુસ્તકમાં કરાઈ છે ભવિષ્યવાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (9 જુન 2024) તેમની ત્રીજી ટર્મ માટે પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે ત્યારે પીએ મોદી વિશે લખાયેલા એક પુસ્તક 'ધ મોદી ઈફેક્ટ'માં પીએમ મોદી વિશે જે ભવિષ્યવાણી કરાઈ છે, તે મુજબ પીએમ મોદી હજુ 2032 સુધી દેશના પ્રધાનમંત્રી બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી- 2015માં લખાયેલા લાન્સ પ્રાઈઝના આ પુસ્તકમાં કરાઈ છે ભવિષ્યવાણી
| Updated on: Jun 08, 2024 | 3:20 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. પીએમ મોદી વિશે વર્ષ 2015માં ‘ધ મોદી ઈફેક્ટ’ નામની એક બુક પબ્લિશ થઈ હતી. લાન્સ પ્રાઈઝ નામના બીબીસીના પૂર્વ સંવાદદાતા દ્વારા આ પુસ્તક લખાયેલુ છે. આ પુસ્તકના પેઈઝ નંબર 4 પર પીએમ મોદી વિશે એક ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક આદ્યાત્મિક ગુરુએ પીએમ મોદી વિશે આ ભવિષ્યવાણી કરી છે જેમા કહેવાયુ છે પીએમ મોદી આગામી 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. વધુમાં તેમણે જણાવ્યુ કે એવુ નથી તેમના જીવનમાં એક ડાઉનફોલ પણ આવશે અને થોડો સમય માટે તેમણે વિપક્ષમાં રહેવુ પડે તેવી સ્થિતિ પણ આવી શકે. જે અત્યંત નાનો સમયગાળો હશે. એ પહેલા એક મોટો સમયગાળો તેમની પાસે એવો રહ્યો હશે કે તેમની પાસે સંસદમાં સૌથી વધુ બહુમત હશે. માત્ર એકવાર તેમને અન્ય દળોનો સાથ લઈને ગઠબંધનમાં કામ કરવુ પડી શકે.

આદ્યાત્મિક ગુરુની ભવિષ્યવાણી- “2032 સુધી વડાપ્રધાન રહેશે પીએમ મોદી”

પુસ્તકમાં લેખક લાન્સ પ્રાઈઝે એક આદ્યાત્મિક ગુરુનો ઉલ્લેખ કર્યો છે જેઓ જ્યોતિષી હતા અને તેમણે કોઈપણ સંકેત આપ્યા વિના કેટલીક ભવિષ્યવાણી કરી હતી. જેમા પીએમ મોદી વિશે તેમણે જણાવ્યુ હતુ કે મોદીજી એક મહાન નેતા સાબિત થશે. આ ગુરુની દીર્ઘદૃષ્ટિ અને દુરદર્ષિતા વધુ સ્પષ્ટ જણાતી હતી. તેમણે વધુમાં પીએમ મોદી વિશે જે કહ્યુ તે આશ્ચર્યથી ભરેલુ હતુ. તેમણે કહ્યુ પીએમ મોદી 2032 સુધી સત્તામાં રહેશે. જેમા બહુ નાના સમય માટે તેમને વિપક્ષમાં રહેવુ પડે તેવી સ્થિતિ આવી શકે. પરંતુ તેમની પાસે સંસદમાં સૌથી વધુ મેજોરિટી રહેશે અને માત્ર એકવાર તેમણે અન્યદળોનો સાથ લઈને ગઠબંધનમાં કામ કરવુ પડી શકે.

હાલની સ્થિતિને જોતા એ આદ્યાત્મિક ગુરુની ભવિષ્યવાણી સાચી પડતી જણાઈ રહી છે. 16 મે 2014માં નરેન્દ્ર મોદી પ્રથમવાર વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા. એ ચૂંટણીમાં પીએમ મોદીએ જે પ્રકારે ચૂંટણી પ્રચાર કર્યો હતો તે માસ્ટર ક્લાસ હતો. જેમા સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને ડિજીટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો.એ સમયે પ્રચાર દરમિયાન મોદીએ હજારો જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જો કે આટલા વિશાળ દેશમાં દરેક નગર અને ગામમાં જઈ લોકો સાથે રૂબરૂ કનેક્ટ થવુ શક્ય નથી. તેનો તોડ પણ મોદીએ શોધી કાઢ્યો અને એ હતો વર્ચ્યુઅલ મોદીનો એક લાઈફ સાઈઝ થ્રીડી હોલોગ્રામ. જેના દ્નારા તેઓ દેશના દરેક ગામો અને અંતરિયાળ પ્રદેશના લોકો સાથે કનેક્ટ થયા અને લાખો યુવાનોનો મતપેટી સુધી ખેંચી લાવ્યા અને ગાંધી પરિવારની આગેવાનીવાળી કોંગ્રેસ પાર્ટીને પ્રચંડ માત આપી. એ

લાન્સ પ્રાઈઝનું ધ મોદી ઈફેક્ટ નામનુ  આ પુસ્તક હાલ એમેઝોન પર પણ ઉપલબ્ધ છે.  https://www.amazon.in/Modi-Effect-Narendra-campaign-transform-ebook/dp/B00RZPLB4M

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">