AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીએ INS વિક્રાંતમાં બેસવાનો અનુભવ કર્યો શેયર, કહ્યું- શબ્દોમાં નહીં વર્ણવી શકું

આ કાર્યક્રમ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ INS વિક્રાંત મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીને સમર્પિત કરે છે.

વડાપ્રધાન મોદીએ INS વિક્રાંતમાં બેસવાનો અનુભવ કર્યો શેયર, કહ્યું- શબ્દોમાં નહીં વર્ણવી શકું
Prime Minister Modi shares the experience of sitting in INS VikrantImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 5:28 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ જહાજ INS વિક્રાંતને (INS Vikrant) ભારતીય નૌકાદળમાં (Indian Navy) સામેલ કર્યુ. પીએમ મોદીએ તેને ‘તરતુ શહેર’ અને ‘તરતુ હવાઈમથક’ તરીકે ઓળખાવ્યું. આ સાથે ભારત એ પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેઓ આટલા મોટા યુદ્ધ જહાજો બનાવવાની સ્થાનિક ક્ષમતા ધરાવે છે. ભારતીય નૌકાદળને યુદ્ધ જહાજ સોંપ્યા બાદ પીએમએ શનિવારે એક વીડિયો શેયર કર્યો હતો. તેણે આ સમય દરમિયાન INS વિક્રાંતમાં બેસવાનો અનુભવ શેયર કર્યો છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું ‘ભારત માટે એક ઐતિહાસિક દિવસ… હું ગઈ કાલે INS વિક્રાંતમાં સવાર હતો તે ગર્વની લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.’ (ધ્વજ)નું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દેશે ગુલામીની નિશાની, ગુલામીનો બોજ ઉતારી દીધો છે. આ જહાજનું નામ નૌકાદળના ભૂતપૂર્વ જહાજ વિક્રાંતના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એરક્રાફ્ટ કેરિયરની કેટલીક વિશેષતાઓ વિશે પણ વાત કરી હતી. તેણે તેને ‘ફ્લોટિંગ એરફિલ્ડ, ફ્લોટિંગ સિટી’ તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું કે INS વિક્રાંતમાં જેટલી વીજળી ઉત્પન્ન થાય છે તેનાથી 5,000 ઘરને રોશન કરી શકાય છે.

આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ INS વિક્રાંત મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીને સમર્પિત કરે છે. તેમણે કહ્યું, ‘આજે 2 સપ્ટેમ્બર, 2022ની ઐતિહાસિક તારીખે વધુ એક ઈતિહાસ બદલવાની ઘટના બની છે. આજે ભારતે ગુલામીની નિશાની, ગુલામીનો બોજ ઉતારી લીધો છે. ભારતીય નૌસેનાને આજથી નવો ધ્વજ મળ્યો છે. પરંતુ આજથી છત્રપતિ શિવાજીની પ્રેરણાથી નૌકાદળનો નવો ધ્વજ દરિયામાં અને આકાશમાં લહેરાશે.

ભારત વિશ્વના પસંદગીના દેશોમાં જોડાય છે

નૌકાદળના કાફલામાં INS વિક્રાંતના સમાવેશ સાથે ભારત યુએસ, યુકે, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા દેશોના પસંદગીના જૂથમાં જોડાય છે, જે સ્વદેશી રીતે એરક્રાફ્ટ કેરિયર બનાવવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. કુલ 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું આ જહાજ 28 નોટિકલ માઈલથી 7500 નોટિકલ માઈલનું અંતર કાપી શકે છે. વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ એરક્રાફ્ટ કેરિયર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તે સ્વદેશી રીતે નિર્મિત એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH) ઉપરાંત મિગ-29K ફાઈટર એરક્રાફ્ટ સહિત 30 એરક્રાફ્ટ ચલાવવાની ક્ષમતા ધરાવે છે.

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
g clip-path="url(#clip0_868_265)">