AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા”- પ્રતાપ દૂધાત

પોતાના સ્પષ્ટ, શબ્દો ચોર્યા વિના નિવેદન કરવા માટે જાણીતા અમરેલી કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી ગતિવિધિ પર મોટુ નિવેદન આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2026 | 5:46 PM
Share

અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મહાશિવરાત્રિના દિવસે શિવજીના દર્શને ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા રાજુ કરપડાના રાજીનામા અને આપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈ એવુ નિવેદન આપ્યુ કે ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થવા લાગી. એમ તો રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ચાલતો નથી અને નિષ્ણાતોની આ જ વાતને રિપિટ કરતા  પ્રતાપ દૂધાતે કહ્યું કે થર્ડ પાર્ટીના વિભાજન દ્વારા ગુજરાતને નુક્સાન થઈ રહ્યું છે. સાથે જ મત વિભાજનના કારણે કોંગ્રેસના 60 ધારાસભ્યો મટી ગયા હોવાનું નિવેદન આપ્યું છે.

તો બીજી તરફ રાજુ કરપડા રાજીનામા પર નિવેદન આપતા દૂધાતે કહ્યું કે ધીમે ધીમે સાવરણાની સળીઓ વિખાઈ રહી છે તે દેખાઈ આવે છે. તેમણે કહ્યુ વર્તમાન સ્થિતિ પ્રમાણે જે રાજકીય ગણિત બેસી રહ્યુ છે એ પ્રમાણે હવે પછી ઈસુદાનનો વારો છે. આ અગાઉ તેમણે રાજુ કરપડાના રાજીનામા પર ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે રાજુ કરપડાના જે હાલ થયા છે તેવા જ હાલ ઈસુદાન ગઢવીના થવાના છે. ઈસુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે. ઈટાલિયા આપને મુક્ત કરી ઝાડુ મારીને ભાજપમાં જા રહેશે. દૂધાતના આ નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો છે.

Input Credit- Rahul Bagda- Amreli

અમરેલીમાં ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરમાં આવી જાન, Video થયો વાયરલ

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">