Republic Day 2022: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી

73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની (73rd Republic Day celebrations) પૂર્વ સંધ્યાએ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram Nath Kovind) સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય લોકો માટે 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે.

Republic Day 2022: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી
President Ram Nath Kovind - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 5:25 PM

73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની (73rd Republic Day celebrations) પૂર્વ સંધ્યાએ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram Nath Kovind) સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય લોકો માટે 384 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. આ પુરસ્કારોમાં 12 શૌર્ય ચક્ર, 3 સેના મેડલ (વીરતા), 81 સેના મેડલ (શૌર્ય) અને 2 વાયુ સેના મેડલ (વીરતા) નો સમાવેશ થાય છે. અગાઉ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 51 લોકોને જીવન રક્ષા પદક એવોર્ડ-2021 એનાયત કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, 6 લોકોને સર્વોત્તમ જીવન રક્ષા પદક (Sarvottam Jeevan Raksha Padak), 16 લોકોને ઉત્તમ જીવન રક્ષા પદક (Uttam Jeevan Raksha Padak) અને 29 લોકોને જીવન રક્ષા પદક (Jeevan Raksha Padak) એનાયત કરવામાં આવશે.

આ વખતે ગણતંત્ર દિવસ પર 939 વીરોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે

પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કાર મેળવનાર વીરોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 939 પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 189 નાયકોને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. તે જ સમયે, 88 બહાદુરોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) આપવામાં આવશે અને 662 ને ગુણવત્તાયુક્ત સેવા માટે પોલીસ મેડલ (PM) આપવામાં આવશે.

પોલીસ મેડલના 189 વીરતા પ્રાપ્ત કરનારાઓમાંથી, 134 જવાનોને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર દેશની સુરક્ષામાં અદમ્ય બહાદુરી દાખવનાર બહાદુર જવાનોને વીરતા પુરસ્કાર આપવામાં આવે છે.

દેશભરમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તે જ સમયે, ભારતીય સેના પરેડ માટે વિશેષ તૈયારીઓ કરી રહી છે. મેજર જનરલ આલોક કક્કરે રવિવારે કહ્યું કે, ભારતીય સેનાનો યુનિફોર્મ અને રાઈફલ્સ દાયકાઓમાં કેવી રીતે વિકસિત થઈ છે તે આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં દર્શાવવામાં આવશે. તેમણે કહ્યું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ભારતીય સેનાની ત્રણ કૂચ ટુકડીઓ પાછલા દાયકાઓનો ગણવેશ પહેરશે અને પ્રજાસત્તાક દિવસ પરેડ-2022માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે રાઈફલ સાથે કૂચ કરશે. જ્યારે એક ટુકડી નવો કોમ્બેટ યુનિફોર્મ પહેરીને અને લેટેસ્ટ ટેવર રાઈફલ લઈને રાજપથ પર ચાલતી જોવા મળશે.

તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતીય સેનાની છ માર્ચિંગ ટુકડીઓ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે. આ વખતે 144 સૈનિકોને બદલે 96 સૈનિકો હશે જે સામાન્ય રીતે દરેક માર્ચિંગ ટુકડીમાં રહે છે. આ કોવિડ-19 પ્રોટોકોલનું કડક પાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Republic Day 2022: 26 જાન્યુઆરીના દિવસે જ કેમ પ્રજાસતાક દિવસ મનાવવામાં આવે છે ?

આ પણ વાંચો : Republic Day 2022 : ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્લી પોલીસે ગોઠવી ખાસ સુરક્ષા વ્યવસ્થા, હોટસ્પોટ ઉપર લગાવ્યા FRS કેમેરા

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">