ઉર્જા ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર, કર્ણાટકના આ શહેરમાં બનશે HAL હેલિકોપ્ટર, 6 ફેબ્રુઆરીએ PM મોદી કરશે ઉદ્ઘાટન

આ વખતે ઈન્ડિયા એનર્જી વીકમાં ગ્રીન એનર્જી પર વધુ ભાર મૂકવામાં આવશે. આ સાથે હાઇડ્રોજન ઇંધણ અને સોલાર જેવી ગ્રીન એનર્જી પર પણ ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાન મોદી તેમાં 4 મોટી જાહેરાતો પણ કરશે.

ઉર્જા ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર, કર્ણાટકના આ શહેરમાં બનશે HAL હેલિકોપ્ટર, 6 ફેબ્રુઆરીએ PM મોદી કરશે ઉદ્ઘાટન
PM Narendra ModiImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 3:22 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (6 ફેબ્રુઆરી 2023) કર્ણાટકની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી 6 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે. ઉર્જા ક્ષેત્રે કામ કરતી વિશ્વની મોટાભાગની સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. તેમાં વિશ્વભરમાંથી 650 થી વધુ પ્રદર્શકો આવી રહ્યા છે.

આ પણ વાંચો: BBC Documentary Controversy: AMUમાં ‘અલ્લાહ-હુ-અકબર’ અને ‘નારા-એ-તકબીર’ના લાગ્યા નારા, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

આ વખતે ઈન્ડિયા એનર્જી વીકમાં ગ્રીન એનર્જી પર વધુ ભાર મૂકવામાં આવશે. આ સાથે હાઇડ્રોજન ઇંધણ અને સોલાર જેવી ગ્રીન એનર્જી પર પણ ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાન મોદી તેમાં 4 મોટી જાહેરાતો પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ સાથે તેઓ તુમાકુરુમાં HALની સ્વદેશી હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

HALની સ્વદેશી હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન

વડાપ્રધાન 6 ફેબ્રુઆરીએ કર્ણાટકના તુમાકુરુ ખાતે HALની હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરશે. સંરક્ષણ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, 615 એકર જમીનમાં ફેલાયેલી ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરીની યોજના દેશની તમામ હેલિકોપ્ટરની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવાના હેતુથી કરવામાં આવી છે.

મંત્રાલયનું કહેવું છે કે HAL 20 વર્ષના ગાળામાં રૂ. 4 લાખ કરોડથી વધુના કુલ ટર્નઓવર સાથે 3-15 ટનની રેન્જમાં 1,000 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, “પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પેદા કરવા ઉપરાંત, તુમાકુરુ સુવિધા તેની CSR પ્રવૃત્તિઓ દ્વારા મોટાભાગે સમુદાય-કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા આસપાસના વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપશે જેના પર કંપની નોંધપાત્ર રકમ ખર્ચ કરશે.”

પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે

PMO અનુસાર, PM મોદી 6 ફેબ્રુઆરીએ સવારે 10.55 વાગ્યે બેંગલુરુ પહોંચશે અને બેંગલુરુ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (BIEC) ખાતે ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બેંગલુરુમાં 20% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (E-20) લોન્ચ કરશે. ઈન્ડિયા એનર્જી વીક 2023 માં 30 થી વધુ ઉર્જા મંત્રીઓ, 50 CEO અને 10,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ત્યારબાદ તેઓ તુમાકુરુ ખાતે HAL હેલિકોપ્ટર ફેક્ટરીને રાષ્ટ્રને સમર્પિત કરશે અને વિવિધ વિકાસ પહેલ માટે શિલાન્યાસ પણ કરશે.

પીએમ મોદી ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કરશે

ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન 19 કોન્ફરન્સ સત્રોનું આયોજન કરવામાં આવશે. જેના દ્વારા ઊર્જા મંત્રીઓની પેનલ, વિવિધ દેશોની ઉર્જા કંપનીઓના CEO/નેતાઓ સમગ્ર ઉર્જા ક્ષેત્રને આવરી લેતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

પ્રધાનમંત્રીએ કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા જેમને સરકારના નવા પ્રોજેક્ટનો લાભ મળશે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે તેલંગાણાના લોકોને ફાયદો પહોંચાડવા માટે વધુ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રેલવે લાઇનોના વિદ્યુતીકરણ હેઠળ, રેલવે વિભાગે પરલી વૈજનાથ-વિકરાબાદ માર્ગનું વિદ્યુતીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ શેર કર્યું છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">