AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: આજે PM મોદી કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’, ઓમિક્રોન પર કરી શકે છે વાત

Mann Ki Baat Today Episode: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષની છેલ્લી મન કી બાત કરશે. આ દરમિયાન તે Omicron વેરિઅન્ટ પર વાત કરી શકે છે.

Mann Ki Baat: આજે PM મોદી કરશે વર્ષ 2021ની છેલ્લી 'મન કી બાત', ઓમિક્રોન પર કરી શકે છે વાત
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:52 AM
Share

PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે. તેમજ પીએમ મોદી (PM MODI)ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (Official YouTube channel) પર જોઈ શકાશે. દૂરદર્શન તેનું જીવંત પ્રસારણ પણ કરશે. મન કી બાત એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ (radio program)છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.

અગાઉ પીએમ મોદીએ મન કી બાત (Mann Ki Baat)ની આ આવૃત્તિ માટે લોકોને તેમના મંતવ્યો શેર કરવા કહ્યું હતું. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. દરેક આવૃત્તિમાં, વડાપ્રધાન દેશવાસીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરે છે, જેમાં તે મુદ્દાઓ સામેલ છે જે તે વિશેષ સંબોધન પહેલાં અથવા પછીના હોય.

પીએમ ઓમિક્રોન પર વાત કરી શકે છે

મહામારીના સમયમાં વડાપ્રધાન લગભગ દર મહિને દેશવાસીઓ સાથે કોરોના વાયરસ (Corona virus) પર વાત કરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રવિવારનું સંબોધન કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) અને સંબંધિત મુદ્દાઓ પર આધારિત હોઈ શકે છે.

એક દિવસ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને પણ રસી આપવામાં આવશે (Vaccination of Children in India). આ સાથે દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે.

વૃદ્ધોને બૂસ્ટર ડોઝ મળશે

વડાપ્રધાને જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો અને 60 વર્ષથી વધુ ઉંમરના co-morbidityથી પીડાતા લોકો માટે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પીએમે કહ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના co-morbidity નાગરિકો, તેમના ડૉક્ટરની સલાહ પર, તેમને રસીના ‘Precaution Dose’ ‘નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. તેની શરુઆત સોમવાર, 10 જાન્યુઆરી, 2022 થી શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં 18 લાખ આઈસોલેશન બેડ, 5 લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ, 1.40 હજાર આઈસીયુ બેડ અને 90,000 બેડ ફક્ત બાળકો માટે છે.

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">