AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: આજે PM મોદી કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’, ઓમિક્રોન પર કરી શકે છે વાત

Mann Ki Baat Today Episode: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષની છેલ્લી મન કી બાત કરશે. આ દરમિયાન તે Omicron વેરિઅન્ટ પર વાત કરી શકે છે.

Mann Ki Baat: આજે PM મોદી કરશે વર્ષ 2021ની છેલ્લી 'મન કી બાત', ઓમિક્રોન પર કરી શકે છે વાત
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:52 AM
Share

PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે. તેમજ પીએમ મોદી (PM MODI)ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (Official YouTube channel) પર જોઈ શકાશે. દૂરદર્શન તેનું જીવંત પ્રસારણ પણ કરશે. મન કી બાત એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ (radio program)છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.

અગાઉ પીએમ મોદીએ મન કી બાત (Mann Ki Baat)ની આ આવૃત્તિ માટે લોકોને તેમના મંતવ્યો શેર કરવા કહ્યું હતું. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. દરેક આવૃત્તિમાં, વડાપ્રધાન દેશવાસીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરે છે, જેમાં તે મુદ્દાઓ સામેલ છે જે તે વિશેષ સંબોધન પહેલાં અથવા પછીના હોય.

પીએમ ઓમિક્રોન પર વાત કરી શકે છે

મહામારીના સમયમાં વડાપ્રધાન લગભગ દર મહિને દેશવાસીઓ સાથે કોરોના વાયરસ (Corona virus) પર વાત કરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રવિવારનું સંબોધન કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) અને સંબંધિત મુદ્દાઓ પર આધારિત હોઈ શકે છે.

એક દિવસ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને પણ રસી આપવામાં આવશે (Vaccination of Children in India). આ સાથે દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે.

વૃદ્ધોને બૂસ્ટર ડોઝ મળશે

વડાપ્રધાને જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કાર્યકરો અને 60 વર્ષથી વધુ ઉંમરના co-morbidityથી પીડાતા લોકો માટે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પીએમે કહ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના co-morbidity નાગરિકો, તેમના ડૉક્ટરની સલાહ પર, તેમને રસીના ‘Precaution Dose’ ‘નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. તેની શરુઆત સોમવાર, 10 જાન્યુઆરી, 2022 થી શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં 18 લાખ આઈસોલેશન બેડ, 5 લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ, 1.40 હજાર આઈસીયુ બેડ અને 90,000 બેડ ફક્ત બાળકો માટે છે.

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">