PM મોદી આજે મેઘાલય-ત્રિપુરાના પ્રવાસે, 6800 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

PM Modi Meghalaya-Tripura Visit : વડાપ્રધાન મોદી આજે રવિવારે ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિલોંગ-ડિંગપાસોહ રોડનું લોકાર્પણ પણ કરશે, આ રોડને કારણે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય તેઓ ત્રણ રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અન્ય મહત્વના રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

PM મોદી આજે મેઘાલય-ત્રિપુરાના પ્રવાસે, 6800 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ
PM Modi ( file photo)Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 8:20 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 18 ડિસેમ્બરને રવિવારે મેઘાલય અને ત્રિપુરા રાજ્યના પ્રવાસે જશે. વડાપ્રધાન તેમના પ્રવાસ દરમિયાન આશરે 6800 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની સાથે કેટલાક પ્રોજક્ટસનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન જે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે તેમાં હાઉસિંગ, રસ્તા, કૃષિ, ટેલિકોમ્યુનિકેશન, આઈટી અને પ્રવાસન સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવી છે.

મેઘાલયમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ

મેઘાલયના શિલોંગમાં, વડાપ્રધાન નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં ભાગ લેશે. કાઉન્સિલનું ઔપચારિક ઉદ્ઘાટન 7 નવેમ્બર 1972ના રોજ થયું હતું. આજે સવારે લગભગ 10:30 વાગ્યે વડા પ્રધાન સ્ટેટ કન્વેન્શન સેન્ટર, શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. ત્યાર બાદ, એક જાહેર સમારંભમાં, વડાપ્રધાન રૂ. 2450 કરોડથી વધુની કિંમતની અનેક કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી પૂર્વોતર પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટી વધારવા માટે અનેક 4G મોબાઈલ ટાવર દેશને સમર્પિત કરશે. તેમાંથી 320 થી વધુ મોબાઈલ ટાવર સ્થાપિત થઈ ગયા છે અને લગભગ 890 બાંધકામ હેઠળ છે જે ટુંક સમયમાં સ્થાપિત થઈ જશે.

શિલોંગમા IIMના  નવા કેમ્પસનું ઉદ્ઘાટન

પીએમ મોદી ઉમસાવલી ખાતે બનાવવામાં આવેલ IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિલોંગ-ડિંગપાસોહ રોડનું લોકાર્પણ કરશે, જે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશિપને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેઓ ત્રણ રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં મહત્વના ચાર અન્ય રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી મશરૂમ સ્પાન ઉત્પાદન વધારવા માટે મેઘાલયમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્પાન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરશે. તો મેઘાલયમાં સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. વડાપ્રધાન મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોને પ્રજાને અર્પણ કરશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મહત્વના છ રોડ પ્રોજેક્ટનો કરાશે શિલાન્યાસ

વડાપ્રધાન આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં મહત્વના છ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ તુરા અને શિલોંગ ટેક્નોલોજી પાર્ક ફેઝ-2 ખાતે ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે. રોડ કનેક્ટિવિટીને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને, પ્રધાનમંત્રી અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતાલી) NH-08 ને પહોળો કરવા માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે અગરતલા શહેરમાં ટ્રાફિકની ભીડને હળવી કરવામાં મદદ કરશે. તેઓ PMGSY III (પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના) હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈના 32 રસ્તાઓ અને 540 કિલોમીટરથી વધુના અંતરને આવરી લેતા 112 રસ્તાઓના સુધારણા માટે શિલાન્યાસ પણ કરશે.

(with PIB’s input)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">