વડાપ્રધાન મોદી સાથે ત્રણેય સેનાધ્યક્ષની થઈ મહત્ત્વની બેઠક, આ બાબત પર થઈ ચર્ચા

અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ત્રણેય સેના પ્રમુખો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળ્યા હતા. મળતી માહિતી મુજબ, ત્રણેય સેના પ્રમુખોએ પીએમ મોદીને અગ્નિપથ યોજના અને તેના અમલીકરણ વિશે માહિતી આપી છે. 

વડાપ્રધાન મોદી સાથે ત્રણેય સેનાધ્યક્ષની થઈ મહત્ત્વની બેઠક, આ બાબત પર થઈ ચર્ચા
PM modi and indian army chiefsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 8:48 PM

દેશમાં ભારતીય સેનામાં ભરતી માટે આવેલી નવી યોજના અગ્નિપથ યોજના (Agnipath Scheme) પર સંગ્રામ છેડાયો છે. દેશમાં આ યોજનાના કેટલાક નિયમોને કારણે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ ભયકંર પ્રદર્શનમાં ફેરવાયુ છે. સરકારી અને ખાનગી સંપત્તિઓને પ્રદર્શનકારીઓ દ્વારા નુકશાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. ટ્રેનો એન બસો સળગાવવામાં આવી રહી છે. આની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી. દેશમાં આ પ્રદર્શનને કારણે 200 કરોડથી વધારેનું નુકશાન થયુ છે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ત્રણેય સેના પ્રમુખો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળ્યા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય સેના પ્રમુખોએ પીએમ મોદીને અગ્નિપથ યોજના અને તેના અમલીકરણ વિશે માહિતી આપી છે.

સરકારે 14 જૂને આ યોજનાની જાહેરાત કરી હતી, ત્યારથી દેશના વિવિધ ભાગોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. હાલમાં જ ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને અગ્નિપથ યોજના પર સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ભારતીય સેનાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અગ્નિપથ યોજના પર આપવામાં આવેલી ‘વિશ્વસનીય’ માહિતીથી લોકોના મનમાં રહેલી મૂંઝવણ દૂર થઈ ગઈ છે અને ભારતીય સેનામાં સૈનિક બનવાની તૈયારી કરી રહેલા યુવાનોએ ઘણી જગ્યાએ ભરતી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને સેનામાં રેજિમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ યોજના સૈન્યની ભરતીમાં મહત્ત્વના સુધારા લાવશે.

દેશમાં ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન

અગ્નિપથ યોજનાને સમર્થન આપતા એક અધિકારીએ કહ્યું કે આ યોજનાથી કોઈ નુકસાન થશે નહીં. આની મદદથી સેનાની યુદ્ધ ક્ષમતામાં સુધારો જોવા મળશે. નોંધનીય છે કે આ યોજનાનું અનાવરણ 12 જૂને કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં હિંસક વિરોધ બાદ હવે યુવાનોનો ગુસ્સો ઓછો થતો જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીર શૌર્ય પુરસ્કારો માટે પાત્ર હશે. સેના શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

યુવાનોએ સોગંદનામું આપવું પડશે

વર્ષ 1989થી વિવિધ સમિતિઓ દ્વારા આ યોજના માટે ભલામણ કરવામાં આવી હતી અને તમામ હિતધારકો અગ્નિપથ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં સામેલ હતા. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અરજી કરનારા તમામ યુવાનોએ એક ‘એફિડેવિટ’ આપવું પડશે, જેમાં માહિતી લખવામાં આવશે કે તેઓ કોઈપણ પ્રદર્શન અથવા હિંસામાં સામેલ નથી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">