‘અગ્નિવીર લડશે તો પરમવીર ચક્ર પણ મળશે, જવાન બનવું જુસ્સો છે, નોકરી નહીં’, અગ્નિપથ યોજના પર ત્રણેય દળનું મોટું નિવેદન
એર માર્શલ એસકે ઝાએ કહ્યું છે કે એરફોર્સમાં પ્રથમ વર્ષમાં 2 ટકા અગ્નિવીરોની ભરતી શરૂ કરીને તેને ધીમે ધીમે વધારવામાં આવશે. તે પાંચમા વર્ષે 6000 અને 10માં વર્ષે 9000થી 10000 થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાને (Agnipath Scheme) લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે મંગળવારે સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. આ દરમિયાન કહેવામાં આવ્યું છે કે યુવાનોએ અગ્નિપથ યોજનાની તૈયારી શરૂ કરી દીધી છે. સેના માટે દેશ પ્રથમ છે. અગ્નિવીરોની (Agniveer) ભરતીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે આ દેશભક્તિની તક છે, યુવાનો તેને હાથેથી જવા ન દે. સેનામાં સેવા આપવી એ દેશભક્તિ અને જુસ્સાનું કામ છે. એવું કહેવામાં આવ્યું છે કે જો અગ્નિવીર યુદ્ધ લડશે તો તેને પરમવીર ચક્ર પણ મળશે.
There is no change in the recruitment process. The regimental process will be unchanged… We will take an undertaking & aspirants have to submit pledge that they were not involved in any arson/vandalism: Lt Gen Anil Puri, Addt’l Secy, Dept of Military Affairs, on #AgnipathScheme pic.twitter.com/EVcLE7xKPQ
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2022
લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ (Anil Puri) કહ્યું છે કે સેનામાં ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રેજિમેન્ટલ પ્રક્રિયામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઉમેદવારોએ એફિડેવિટ આપવું પડશે કે તેઓ કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ નથી. તેમણે કહ્યું કે આ આપણા દેશની સુરક્ષાનો મામલો છે. કેટલાક લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી કે સેનાના જૂના જવાનોને અગ્નિવીર યોજના હેઠળ મોકલવામાં આવશે. આ સંપૂર્ણપણે ખોટી માહિતી છે.
સેનાએ યુવા શક્તિનો લાભ લેવો જોઈએઃ અનિલ પુરી
અનિલ પુરીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અગ્નિપથ યોજના ત્રણ બાબતોને સંતુલિત કરે છે. આમાં પ્રથમ વસ્તુ સશસ્ત્ર દળોમાં યુવા પ્રોફાઈલ છે, ટેકનિકલી રીતે સક્ષમ અને આર્મીમાં જોડાવા માટે લાયકાત ધરાવતા યુવાનો છે. તેમણે એમ પણ કહ્યું છે કે વિશ્વના અન્ય કોઈ દેશમાં ભારત જેટલો વસ્તી વિષયક હિસ્સો નથી. આપણા દેશના 50 ટકા યુવાનોની ઉંમર 25 વર્ષથી ઓછી છે. સેનાએ આનો વધુમાં વધુ ફાયદો લેવો જોઈએ.
તે જ સમયે, એર માર્શલ એસકે ઝાએ કહ્યું છે કે એરફોર્સમાં પ્રથમ વર્ષમાં 2 ટકા અગ્નિવીરોની ભરતી શરૂ કરીને તેને ધીમે ધીમે વધારવામાં આવશે. તે પાંચમા વર્ષે 6000 અને 10માં વર્ષે 9000થી 10000 થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હવે એરફોર્સમાં દરેક ભરતી ‘અગ્નવીર વાયુ’ દ્વારા થશે. તેમણે એમ પણ કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવનાર ભરતી પ્રક્રિયા, પ્રવેશ સ્તરની લાયકાત, પરીક્ષાના અભ્યાસક્રમ અને તબીબી ધોરણોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
તે જ સમયે, નેવી તરફથી કહેવામાં આવ્યું છે કે તેની ભરતી 25 જૂનથી શરૂ થવાની છે, પરંતુ તે 22 જૂનથી શરૂ કરવામાં આવી રહી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી 1 જુલાઈથી શરૂ થશે. વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે ડીજી શિપિંગ ઓર્ડર મુજબ ચાર વર્ષની તાલીમ બાદ અગ્નિવીરને મર્ચન્ટ નેવીમાં સીધો ભરતી કરવામાં આવશે.