New Parliament Building: PM નરેન્દ્ર મોદીએ તમિલ લોકોનું ગૌરવ વધાર્યું, રજનીકાંતે કહ્યુ- Thank You

રજનીકાંતે ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમિલ લોકોને ગૌરવ અપાવ્યું છે. 'સેંગોલ' એ તમિલનાડુની શક્તિનું પ્રતીક છે, જે ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. પીએમ મોદીએ આજે 'રાજદંડ'ને વૈદિક વિધિ સાથે સ્થાપિત કર્યો હતો.

New Parliament Building: PM નરેન્દ્ર મોદીએ તમિલ લોકોનું ગૌરવ વધાર્યું, રજનીકાંતે કહ્યુ- Thank You
Rajinikanth says thanks to PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 9:26 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કર્યું છે. આ માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંતે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમિલ લોકોને ગૌરવ અપાવ્યું છે. ‘સેંગોલ’ એ તમિલનાડુની શક્તિનું પ્રતીક છે, જે ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. પીએમ મોદીએ આજે ​​તમિલનાડુથી લાવેલા ‘રાજદંડ’ને વૈદિક વિધિ સાથે સ્થાપિત કર્યો હતો. વડાપ્રધાને તેને દંડવત પણ કર્યા હતા.

આ પણ વાંચો: New Parliamentના ઉદ્ઘાટન સમયે નરેન્દ્ર મોદી ફરી એકવાર ધોતી-કુર્તામાં જોવા મળ્યા, સેંગોલને કર્યું દંડવત્ત-પ્રણામ, જુઓ VIDEO

તમિલનાડુના સંતોનું એક જૂથ ‘સેંગોલ’ લઈને દિલ્હી પહોંચ્યું હતું. શનિવારે સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા, અને પીએમને ‘સેંગોલ’ અર્પણ કર્યું. પીએમ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 20 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા નથી. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ રાષ્ટ્રપતિને તેની સ્થાપનાની ભલામણ કરી હતી.

વિશેષ અવસર પર 60 ધર્મગુરુઓ હાજર

‘સેંગોલ’ની સ્થાપનાના પ્રસંગે, 60 ધાર્મિક ધર્મગુરૂઓને બોલાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના તમિલનાડુના છે. તેઓ ધર્મને જન જન સુધી લઈ જવા માટે જાણીતા છે. તેમાંથી ઘણાની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ છે.

શું સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક છે?

એવું કહેવાય છે કે ‘સેંગોલ’ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ અંગ્રેજો પાસેથી મેળવ્યું હતું. અત્યાર સુધી તેને અલ્હાબાદ સ્થિત મ્યુઝિયમમાં રાખવામાં આવતું હતું. હવે તેને પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં લોકસભા સ્પીકરની પાસે લગાવ્યું છે. કોંગ્રેસે ભાજપના દાવાને ફગાવી દીધો કે ‘સેંગોલ’ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે.

પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ પલટવાર કર્યો કે કોંગ્રેસે તેના વર્તન પર વિચાર કરવાની જરૂર છે. અમિત શાહે કોંગ્રેસના એ દાવાને પણ ફગાવી દીધો, જેમાં પાર્ટીનો દાવો છે કે ‘સેંગોલ’ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હોવાના કોઈ પુરાવા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા
હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત