ઈલેક્ટોરલ બોન્ડ, 100 દિવસની યોજના અને 2047 પર નજર… PM મોદીના ઇન્ટરવ્યુની 10 મોટી વાતો

પીએમ મોદીએ ઈન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો કે, ચૂંટણીમાં જતા પહેલા જ તેમણે આગામી સરકાર માટે 100 દિવસનો પ્લાન બનાવી લીધો છે. પીએમએ 2047ના વિઝન પર પણ વાત કરી. તેમણે કહ્યું કે આપણે માત્ર વિકાસની ગતિ વધારવી નથી પરંતુ સ્કેલ પણ વધારવો પડશે.

ઈલેક્ટોરલ બોન્ડ, 100 દિવસની યોજના અને 2047 પર નજર... PM મોદીના ઇન્ટરવ્યુની 10 મોટી વાતો
pm modi interview
Follow Us:
| Updated on: Apr 16, 2024 | 11:22 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર જોરદાર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, રુદ્રાક્ષની માળા પહેરનારી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સનાતન વિરુદ્ધ શા માટે ઝેર ઓકી રહી છે. પીએમ મોદીએ ઈલેક્ટોરલ બોન્ડના આરોપો અને રામ મંદિરનું રાજનીતિકરણ કરવા માટે વિપક્ષને પણ આડે હાથ લીધા હતા.

ANIને આપેલા ઈન્ટરવ્યુમાં PM Modiએ એમ પણ કહ્યું કે, વિપક્ષ ઉત્તર-દક્ષિણને વિભાજિત કરે છે, આપણે વિવિધતાવાળા દેશમાં રહીએ છીએ, હું કોઈપણ રાજ્યમાં જાઉં અને ત્યાંના લોકો મને ત્યાંના કપડાં પહેરાવે તો વિપક્ષ મારી મજાક ઉડાવે છે.

માત્ર વિકાસની ગતિ વધારવી નથી, પરંતુ સ્કેલ પણ વધારવો પડશે : PM Modi

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પીએમ મોદીએ ઈન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો કે ચૂંટણીમાં જતા પહેલા જ તેમણે આગામી સરકાર માટે 100 દિવસનો પ્લાન બનાવી લીધો છે. પીએમએ 2047ના વિઝન પર પણ વાત કરી. તેમણે કહ્યું કે આપણે માત્ર વિકાસની ગતિ વધારવી નથી, પરંતુ સ્કેલ પણ વધારવો પડશે. જેથી દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરે ત્યાં સુધીમાં દેશ વિકાસના પંથે ખૂબ આગળ વધી શકે. આવો જાણીએ પીએમ નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુમાંથી દસ મોટી વાતો.

1- વિપક્ષે રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવ્યો

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રામ મંદિર તેમના માટે સંપૂર્ણ રીતે આસ્થાનો મામલો છે, વિપક્ષોએ તેને રાજકીય મુદ્દો બનાવ્યો છે, તેઓ તેને વોટ બેંકની રાજનીતિના હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે,પણ ન્યાયિક પ્રક્રિયામાં ન જીતી શક્યા, રામ મંદિરનું નિર્માણ થયું. જ્યારે તેને પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળ્યું તો તેણે તેનો અસ્વીકાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ કોંગ્રેસના તમામ પાપોને ભૂલીને રામ મંદિર બનાવ્યું, તેમને આમંત્રણ આપ્યું અને તેઓએ તેને નકારી કાઢ્યું, તો પછી કલ્પના કરો કે તેઓ વોટ બેંક માટે શું કરી શકે છે.

2- શું EDને કામ કરવાની મંજૂરી ન આપવી જોઈએ?

વિપક્ષી પાર્ટીઓના નેતાઓને જેલમાં મોકલવાના આરોપ પર પીએમ મોદીએ કહ્યું કે, EDએ રાજકીય પક્ષોના માત્ર ત્રણ ટકા નેતાઓ સામે કાર્યવાહી કરી. કારણ કે તેઓ EDના રડારમાં આવ્યા હતા, હવે જો કોઈ આરોપ લગાવવાનું શરૂ કરશે તો શું EDને કામ કરવા દેવામાં આવશે નહીં? પીએમ મોદીએ કહ્યું કે, પાછલી સરકારે માત્ર 34 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. છેલ્લા દસ વર્ષમાં અમે 2200 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. મારી પ્રતિબદ્ધતા છે કે આપણે ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ.

3- ઈલેક્ટોરલ બોન્ડ પર સવાલ ઉઠાવનારાઓને પસ્તાવો થશે

PM નરેન્દ્ર મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ પર સવાલ ઉઠાવનારાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો તેના પર સવાલ ઉઠાવે છે તેઓ પસ્તાવો કરશે. પીએમ મોદીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ લાવવા પાછળનો ઈરાદો કાળા નાણાને ખતમ કરવાનો હતો, આ મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે, બધા પક્ષો તેના વિશે વાત કરે છે, બધાએ પહેલા તેની પ્રશંસા કરી હતી. આજે જે મની ટ્રેલ જાણીતી છે તે માત્ર ઈલેક્ટોરલ બોન્ડના કારણે જ શક્ય બની છે. આ પ્રશ્ન કરનારાઓને પણ એક દિવસ પસ્તાવો થશે.

4- લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે

PM નરેન્દ્ર મોદીએ મોદીની ગેરંટી પર કહ્યું કે હું જે કહું તેની જવાબદારી હું લઉં છું, આજકાલ કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે તેઓ એક જ ઝટકામાં ગરીબી ખતમ કરી દેશે, તો મને લાગે છે કે તેઓ શું કહી રહ્યા છે. હું માનું છું કે નેતાઓએ જવાબદારી સમજવી જોઈએ. હું જે કહું છું તે કરું છું, એટલા માટે લોકો મોદીની ગેરંટી પર વિશ્વાસ કરે છે, પાર્ટીની રચના સમયે 370 હટાવવાનો વાયદો હતો, બધાએ મક્કમતા દાખવી હતી, મને મોકો મળ્યો, મેં હિંમત બતાવી અને કર્યું.

5- કોંગ્રેસ સનાતન વિરૂદ્ધ શા માટે ઝેર ઓકી રહી છે?

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગાંધીજીનું નામ કોંગ્રેસ સાથે જોડાયેલું હતું. ઈન્દિરા ગાંધી રુદ્રાક્ષની માળા પહેરીને ફરતા હતા, કોંગ્રેસને પૂછવું જોઈએ કે તમે સનાતન વિરુદ્ધ ઝેર ફૂંકનારાઓ સામે કેમ બેઠા છો? ડીએમકેનો જન્મ આ નફરતમાંથી થયો હતો, પરંતુ હવે લોકો આ નફરતને સ્વીકારી રહ્યાં નથી. હવે પદ્ધતિઓ બદલાઈ રહી છે. ડીએમકે પ્રત્યેનો ગુસ્સો સકારાત્મક રીતે ભાજપ તરફ આવી રહ્યો છે. પ્રશ્ન ડીએમકેને નહીં પરંતુ કોંગ્રેસને પૂછવો જોઈએ કે શું તેઓ તેમનું મૂળ ચરિત્ર ગુમાવી ચૂક્યા છે.

6- કેન્દ્રીય એજન્સીઓના કાયદા અમે નથી બનાવ્યા

કેન્દ્રીય એજન્સીઓ પર સરકારના નિયંત્રણના સવાલ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શું ઈડી અને સીબીઆઈના કાયદા અમારી સરકારે બનાવ્યા છે? પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ચૂંટણી પંચમાં પણ સુધારો કર્યો છે, પહેલા માત્ર વડાપ્રધાન જ ફાઇલ પર સહી કરતા હતા અને ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવતી હતી.

વધુમાં કહ્યું કે, અમે એક પેનલ બનાવી છે અને તેમાં વિપક્ષી નેતાઓને પણ સામેલ કરીએ છીએ. તેમના સમય સુધી, એવા ચૂંટણી કમિશનરો હતા જેઓ તેમના પક્ષમાંથી રાજ્યસભાના સભ્યો ચૂંટાયા હતા. વિપક્ષનું કામ હારનું બહાનું શોધવાનું છે, તેઓ ક્યારેક ઈવીએમની વાત કરશે તો ક્યારેક ચૂંટણી પંચની.

7- યુક્રેન-રશિયા યુદ્ધમાં ત્રિરંગો મારી તાકાત બન્યો

પીએમ મોદીએ જણાવ્યું કે, કેવી રીતે તેમણે રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે એવું નથી કે આ માત્ર રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ થયું હતું, યમનમાં ફસાયેલા ભારતીયોને પણ આવી જ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ભારતીયો ફસાયા હતા ત્યારે અમે સાઉદી કિંગ સાથે બોમ્બ ધડાકા અંગે વાત કરી હતી કે બોમ્બ ધડાકા થાય છે તો અમે ભારતીયોને કેવી રીતે બહાર કાઢશું? આ પછી દરરોજ બોમ્બ ધડાકા થોડા સમય માટે બંધ થઈ જતા અને અમે ભારતીયોને બહાર કાઢતા હતા. તે દરમિયાન અમે 5 હજાર લોકોને બહાર કાઢ્યા હતા. હું રશિયા અને યુક્રેન બંનેના રાષ્ટ્રપતિઓ સાથે મારી મિત્રતા છે. મેં યુદ્ધ દરમિયાન પણ આ જ કર્યું અને ભારતીયોને બહાર કાઢ્યા. તે સમયે જો કોઈ વિદેશી તિરંગો લઈને જતો હોય તો પણ તેને રોકવામાં આવતો ન હતો. તિરંગો જ મારી સૌથી મોટી તાકાત બની ગયો.

8- ચીન-માલદીવે પાકિસ્તાન પર આ કહ્યું

પીએમ નરેન્દ્ર મોદીએ ચીન, માલદીવ અને પાકિસ્તાન વિશે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા પહેલા પાડોશી છે, અમારા પાડોશમાં એવો કોઈ દેશ નથી જેની અમે મદદ ન કરી હોય. જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો, ત્યારે શ્રીલંકામાં પરિસ્થિતિ વણસી ત્યારે ભારતે સૌથી પહેલા મદદ કરી હતી. શ્રીલંકા પણ આ વાત સ્વીકારે છે. પાકિસ્તાનના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, તે આંતરિક રાજનીતિનો શિકાર છે.

9- પૈસા કોઈના પણ હોય, પરસેવો મારા દેશનો હોવો જોઈએ

જ્યારે પીએમ નરેન્દ્ર મોદીને એલોન મસ્કની ભારત મુલાકાત અને ટેસ્લા કંપનીની સ્થાપનાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પીએમ મોદીએ કહ્યું કે એલન મસ્ક પોતાની જગ્યાએ પીએમ મોદીના ચાહક છે, પરંતુ તેઓ મૂળભૂત રીતે ભારતના ચાહક છે. હું 2015માં પહેલીવાર તેની ફેક્ટરીમાં ગયો હતો, તે સમયે મસ્ક બહાર હતા, પરંતુ તેણે બધા પ્રોગ્રામ્સ કેન્સલ કર્યા હતા અને પોતે આવીને બધું બતાવ્યું હતું અને કહ્યું હતું.

આગળ તેમને જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દુનિયાભરમાંથી ભારતમાં કેવી રીતે રોકાણ આવી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે. અમારું EV માર્કેટ પણ સતત વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે ભારતમાં રોકાણ કરવામાં આવે, પૈસા ભલે કોઈના પણ હોય, પરંતુ પરસેવો મારા દેશનો હોવો જોઈએ. અમે ગૂગલ, સેમસંગ, એપલ, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટરના ક્ષેત્રો સહિત આગળ વધી રહ્યા છીએ. આપણે જે પણ કરી રહ્યા છીએ તે આપણા દેશના યુવાનો માટે કરી રહ્યા છીએ.

10- મેં 100 દિવસનો પ્લાન પહેલેથી જ બનાવી લીધો છે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ચૂંટણીમાં જતાં પહેલા 100 દિવસનો પ્લાન બનાવું છું, મેં 2019માં પણ આવું જ કર્યું હતું અને સરકાર બનાવ્યા બાદ મેં 370, ટ્રિપલ તલાક જેવા કામ કરી દીધા હતા. આ વખતે પણ આગામી 100 દિવસનો પ્લાન તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે, મેં આગામી 25 વર્ષનો પ્લાન તૈયાર કર્યો છે, મેં દેશભરના લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા કે તેઓ આગામી 25 વર્ષમાં દેશ કેવી રીતે જોવા માંગે છે, આ માટે 15 થી 20 લાખ લોકોએ ઈનપુટ આપ્યા હતા.

મેં દરેક વિભાગમાં અધિકારીઓની ટીમ બનાવી અને પ્રેઝન્ટેશન નિહાળ્યા, સૂચનો પણ જાતે આપ્યા, જો કે આચારસંહિતા લાગુ હોવાને કારણે હું આ અંગે અત્યારે કંઈ કહી શકું તેમ નથી.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">