Hajj 2022: હજ પર જનારે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે, જાણો શું રહેશે નિયમ

હજ 2022ની સત્તાવાર જાહેરાત નવેમ્બરના પહેલા અઠવાડીયામાં કરવામાં આવશે. આ સાથે જ હજ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. ભારતની હજ 2022 ની તમામ પ્રક્રિયા 100 ટકા ઓનલાઈન/ડિજિટલ રહેશે.

Hajj 2022: હજ પર જનારે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે, જાણો શું રહેશે નિયમ
Mukhtar Abbas Naqvi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:07 PM

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)એ શુક્રવારે કહ્યું કે, હજ પર જવા માટે ઈચ્છુક લોકોને કોવિડ-19 વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે. તેમજ હજ-2022 ની સંપૂર્ણ પ્રક્રિયા ભારત તથા સાઉદી અરબ સરકાર તરફથી નક્કી કરાયેલા કોરોના સંબંધી માર્ગદર્શિકા અંતર્ગત રહેશે. મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ એમ પણ જણાવ્યું કે, હજ-2022ની સત્તાવાર જાહેરાત આગામી મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે અને એ જ સમયે અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.

મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, આ વખતે સાઉદી અરબ અને ભારત સરકારના સ્વાસ્થ્ય તેમજ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા હજ 2022ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હજ 2022ની સત્તાવાર જાહેરાત નવેમ્બરના પહેલા અઠવાડીયામાં કરવામાં આવશે. આ સાથે જ હજ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. ભારતની હજ 2022ની તમામ પ્રક્રિયા 100 ટકા ઓનલાઈન/ડિજિટલ રહેશે.

હજ 2022 માટે લાગૂ થશે કોરોના પ્રોટોકોલ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી અનુસાર, ભારત અને સઉદી અરબમાં હજ 2022 માટે જનાર લોકો કોરોના પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય તેમજ સાફ-સફાઈના સંબંધમાં વિશેષ તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. હજ 2022 માં મહામારીની સ્થિતિને ધ્યાને રાખતા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ-માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, હજ 2022 ની સંપૂર્ણ પ્રક્રિયા, સઉદી અરબની સરકાર અને ભારત સરકાર દ્વારા લાયકાત માપદંડ, વય માપદંડ, આરોગ્યની સ્થિતિ અને તમામ જરૂરી માર્ગદર્શિકા કોરોના આપત્તિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી રહી છે.

હજ 2020/2021 ની અરજી હજ 2022 માં પણ માન્ય

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કોરોના મહામારી તેમજ તેની અસરોને ધ્યાનમાં રાખી હજ વ્યવસ્થાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર અને સુધાર કરવામાં આવ્યા છે. જેમાં ભારત તેમજ સાઉદી અરબમાં આવાસ, સઉદી અરબમાં હજ યાત્રીઓનો રોકાણનો સમયગાળો, પરિવહન, સ્વાસ્થ્ય અને અનેક વ્યવસ્થાઓ સામેલ છે.

તેઓએ એ પણ જણાવ્યું કે, ‘મેહરમ’ (પુરૂષ સંબંધી) વગર લગભગ 3000 થી વધુ મહિલાઓએ હજ 2020-2021 માટે અરજીઓ કરી હતી. વગર ‘મેહરમ’ હજ યાત્રા અંતર્ગત જે મહિલાઓએ હજ 2020 અને 2021 માટે અરજી કરી હતી તે અરજી હજ 2022 માટે પણ માન્ય રહેશે. વગર ‘મેહરમ’ ના હજ પર જનાર તમામ મહિલાઓને વગર લોટરીના હજ પર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

આ પણ વાંચો: સતત બીજા દિવસે અભિનેત્રી અનન્યા પાંડે પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી, જુઓ Photos

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">