AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે રાજકીય પક્ષોના ‘વાયદાઓ’ પર લાગશે લગામ ! જો પૂર્ણ ન થાય તો સુપ્રીમ કોર્ટ લઈ શકે છે આ પગલાં

અરજદારે ચૂંટણી પંચને ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલી પાર્ટીના ચૂંટણી ચિહ્નને જપ્ત કરવા અને રાજકીય પક્ષોની માન્યતા રદ કરવા માટેના નિર્દેશની માગ કરી છે.

હવે રાજકીય પક્ષોના 'વાયદાઓ' પર લાગશે લગામ ! જો પૂર્ણ ન થાય તો સુપ્રીમ કોર્ટ લઈ શકે છે આ પગલાં
Supreme Court (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 3:48 PM
Share

સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં ભારતના ચૂંટણી પંચને (Election Commission of India) રાજકીય પક્ષોનું નિયમન કરવા અને તેમને જરૂરી તર્કસંગત ઢંઢેરાના વચનો (Freebies) માટે જવાબદાર બનાવવાના નિર્દેશોની માગ કરવામાં આવી છે. આ અરજી અશ્વિની કુમાર ઉપાધ્યાય (Ashwini Kumar Upadhyay) દ્વારા તેમના વકીલ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે ચૂંટણી પંચને ચૂંટણી ઢંઢેરામાં આપેલા પાર્ટીના વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવા બદલ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા અને રાજકીય પક્ષોની માન્યતા રદ કરવા માટેના નિર્દેશની પણ માગ કરી છે.

તેમની અરજીમાં એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો એક એવો દસ્તાવેજ છે, જે રાજકીય પક્ષના ઈરાદાઓ, ઉદ્દેશ્યો અને મંતવ્યોને પ્રકાશિત કરતો ઘોષણા પત્ર છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ તેના ચોક્કસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ચૂંટાય છે ત્યારે ચૂંટણી ઢંઢેરાનો ઉપયોગ થાય છે.

રાજકીય પક્ષો પાયાવિહોણા વચન આપી રહ્યા છે

તેમણે કાયદા અને ન્યાય મંત્રાલયને રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની કામગીરીનું નિયમન કરવા અને તેમને પોતાના ઢંઢેરાના વચનો માટે જવાબદાર બનાવવા માટે યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશોની પણ માગ કરી હતી. અરજદારે કહ્યું કે લોકશાહીનો આધાર નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા છે. જો ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવે તો પ્રતિનિધિત્વની કલ્પના રદબાતલ બની જાય છે. રાજકીય પક્ષો બંધ ન બેસે તેવા મફતના વચનો આપી રહ્યા છે અને જરૂરી વચનો પૂરા કરતા નથી.

કોર્ટ જ નાગરિકોની એકમાત્ર આશા

અરજદારે કોર્ટને વધુ વિનંતિ કરી કે શું રાજકીય પક્ષો ખરેખર શાસન અંગે ચિંતિત છે? કે પછી તેઓ લોકશાહીમાં ચૂંટણીની રાજકીય પ્રક્રિયાને તોડી પાડવામાં માને છે. અરજદારે ધ્યાન દોર્યું હતું કે કેન્દ્ર સરકાર અને  ચૂંટણી પંચે રાજકીય પક્ષોની કામગીરીને નિયંત્રિત કરવા અને ઢંઢેરાનું નિયમન કરવા માટે પગલાં લીધાં નથી, તેથી નાગરિકોની એકમાત્ર આશા અદાલત છે.

આ પણ વાંચો :

લો બોલો ! Telanganaમાં કોંગ્રેસના નેતા પર ગધેડાની ચોરીનો આરોપ, પોલીસે ધરપકડ કરી કેસ નોંધ્યો

આ પણ વાંચો :

શું શાહજહાંએ તાજમહેલ બનાવનાર મજૂરોના હાથ કાપી નાખ્યા હતા, જાણો હકીકત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">