સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્દેશ, CAA વિરોધી પ્રદર્શનકારીઓ પાસેથી અત્યાર સુધીની વસૂલાત પરત કરે યુપી સરકાર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) જણાવ્યું હતું કે તેણે સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે CAA વિરોધી પ્રદર્શનકારીઓ સામે જાહેર કરાયેલી રિકવરી નોટિસ પાછી ખેંચી લીધી છે.

સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્દેશ, CAA વિરોધી પ્રદર્શનકારીઓ પાસેથી અત્યાર સુધીની વસૂલાત પરત કરે યુપી સરકાર
Supreme Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:48 PM

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) જણાવ્યું હતું કે તેણે સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે CAA વિરોધી પ્રદર્શનકારીઓ સામે જાહેર કરાયેલી રિકવરી નોટિસ પાછી ખેંચી લીધી છે. યુપી સરકાર દ્વારા રિકવરી નોટિસ પાછી ખેંચી લેવા અંગે કોર્ટને જાણ કર્યા પછી, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે યુપી સરકારને અત્યાર સુધીની વસૂલાત પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નવા કાયદા હેઠળ કથિત CAA વિરોધી પ્રદર્શનકારીઓ સામે પગલાં લેવાની સ્વતંત્રતા આપી છે. ઉત્તર પ્રદેશ તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ ગરિમા પ્રસાદે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 14 અને 15 ફેબ્રુઆરીના સરકારી આદેશો દ્વારા જાહેર સંપત્તિને થયેલા નુકસાનના મામલામાં રિકવરી નોટિસ પાછી ખેંચી લીધી છે.

કોર્ટે કહ્યું કે યુપી સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનને જોતા આ મામલામાં વધુ કંઈ બચ્યું નથી. જો કે, કોર્ટે યુપી સરકારને કાયદા અનુસાર આગળ વધવાની સ્વતંત્રતા આપી છે, જે રાજ્યનો કાયદો છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આદર્શ આચાર સંહિતા રાજ્યને કાયદાનું પાલન કરતા અટકાવતી નથી.

ખંડપીઠે એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદની દલીલને ફગાવી દીધી હતી કે વસૂલાતનો નિર્દેશ આપવાને બદલે વિરોધકર્તાઓ અને રાજ્ય સરકારને ક્લેમ્સ ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાની મંજૂરી આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 11 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ સરકારને ડિસેમ્બર 2019 માં કથિત CAA વિરોધી પ્રદર્શનકારીઓને જાહેર કરાયેલ વળતર નોટિસ પર કાર્યવાહી કરવા બદલ ઠપકો આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સુપ્રીમ કોર્ટ પરવેઝ આરિફ ટીટુની અરજી પર સુનાવણી કરશે

કોર્ટે સરકારને કાર્યવાહી પાછી ખેંચવાની છેલ્લી તક આપી હતી અને ચેતવણી આપી હતી કે ઉત્તર પ્રદેશની કાર્યવાહી કાયદાની વિરુદ્ધ હોવાથી કોર્ટ તેને રદ કરશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલી કાર્યવાહી એ કાયદાની વિરુદ્ધ છે જેનું કોર્ટ દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ પરવેઝ આરિફ ટીટુની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે કથિત વિરોધીઓને મોકલવામાં આવેલી નોટિસને રદ કરવામાં આવે.

યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં 833 તોફાનીઓ વિરુદ્ધ 106 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ 274 રિકવરી નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ નોટિસોમાંથી 236 રિકવરી ઓર્ડર પસાર કરવામાં આવ્યા હતા જ્યારે 38 કેસ બંધ કરવામાં આવ્યા હતા. પ્રસાદે એ પણ જણાવ્યું હતું કે આ આદેશો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કાનપુર રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- આગામી વર્ષના અંત સુધીમાં રામ લલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે

આ પણ વાંચો : Hijab Row: હિજાબ વિવાદ પર હવે કર્ણાટક હાઈકોર્ટમાં 21 ફેબ્રુઆરીએ થશે સુનાવણી, જાણો આજે કોર્ટમાં શું થયું

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">