પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડ દ્વારા માત્ર 1 ટકાના વ્યાજ દરે લોન મળે છે ? જાણો શું છે હકીકત
છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ પર એક મેસેજ વધુને વધુ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડ દ્વારા 1% વ્યાજ પર લોન આપવામાં આવી રહી છે.
તમે ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું હશે કે પ્રધાનમંત્રી યોજના (Pradhan Mantri Yojana) હેઠળ 1 ટકાના વ્યાજ દરે આધાર કાર્ડ દ્વારા લોન આપવામાં આવી રહી છે. તો આપને જણાવી દઈએ કે આ દાવો ખોટો છે. સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી. PIB જણાવ્યું હતું કે, આવા મેસેજથી સાવધાન રહો. PIB (The Press Information Bureau) સતત એવા સમાચાર વિશે લોકોને ચેતવણી આપી રહી છે જે અફવાઓ ફેલાવી શકે છે.
જાણો, PIBએ શું કહ્યું
સરકારી એજન્સી PIB એ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર (Central Government) ‘પ્રધાનમંત્રી યોજના’ નામની આવી કોઈ યોજના ચલાવતી નથી અને આ યોજના હેઠળ કોઈ લોન આપવામાં આવી રહી નથી.
दावा: #WhatsApp पर साझा किए जा रहे एक मैसेज में यह दावा किया जा रहा है कि प्रधानमंत्री योजना के तहत आधार कार्ड के माध्यम से 1% ब्याज पर लोन मिल रहा है। #PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा ‘प्रधानमंत्री योजना’ नामक ऐसी किसी योजना के तहत लोन नहीं दिया जा रहा है। pic.twitter.com/fGJpE4Bs4A
— PIB Fact Check (@PIBFactCheck) August 2, 2021
જાણો સમાચારનું સત્ય કેવી રીતે જાણી શકાય
આપને જણાવી દઈએ કે જો તમને પણ કોઈ સમાચાર અથવા માહિતીમાં (Information) આપવામાં આવેલી હકીકતો અંગે શંકા હોય તો તમે તેને PIB ફેક્ટ ચેક પર મોકલી શકો છો. સંપૂર્ણ તપાસ બાદ તમને સાચી માહિતી આપવામાં આવશે. આ માટે, તમે ઘણા બધા માધ્યમો દ્વારા તમારો મુદ્દો PIB Fact Check ને મોકલી શકો છો.
PIB ફેક્ટ ચેક પોર્ટલ (Portal) ખોલવા માટે વેબસાઈટ https://factcheck.pib.gov.in/ પર જાઓ. આ પછી એક પેજ ખુલશે. હવે, ભાષા પસંદ કરો, ઇમેઇલ સરનામું અને કેપ્ચા દાખલ કરો. પછી સબમિટ બટન દબાવો તમારા ઇમેઇલ સરનામાં પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને સબમિટ પર દબાવો.
અહીં યુઝર્સ (Users) એક ફોર્મ પણ ભરવાનું રહે છે. આ ફોર્મમાં નામ, ઇમેઇલ આઈડી, સમાચારની શ્રેણી. આ પછી, તમારે તે સમાચારની વિગતો દાખલ કરવી પડશે કે જેના વિશે તમે માહિતી તપાસવા માંગો છો. ઉલ્લેખનીય છે કે, આ માટે તમારે તે સંદર્ભ માટે લિંક કરવી પડશે જેની હકીકત તમે જાણવા માગો છો. તમે અહીં વિડિઓ, ઓડિયો ક્લિપ પણ અપલોડ કરી શકો છો.
ઉપરાંત, તમે +91 8799711259 પર WhatsApp પણ કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ દ્વારા પણ હકીકત જાણી શકો છો. આ ઉપરાંત, તમે ટ્વિટર પર સંપર્ક કરી શકો છો IPIBFactCheck અથવા /PIBFactCheck Instagram પર અથવા /PIBFactCheck Facebook પરથી પણ માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો: Corona in Maharashtra : શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર? મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સ્થિતિના સંકેત