પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી, મુસાફરી માટેનો દસ્તાવેજ છે, ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી માટેનો દસ્તાવેજ છે. દેશની નાગરિકતાનો કોઈ પુરાવો નથી. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, તાજેતરમાં 13.9 મિલિયનથી વધુ પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા છે, અને દેશમાં પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા 77 થી વધીને 545 થઈ ગઈ છે. ભારતીયો માટે વિઝા-મુક્ત દેશોની સંખ્યા પણ વધીને 27 થઈ ગઈ છે.

જો તમે પાસપોર્ટને ભારતની નાગરિકતાનો પુરાવો માનો છો, તો તમારે વિદેશ મંત્રાલયનું તાજેતરના નિવેદનને ખાસ ધ્યાને લેવુ જોઈએ. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાસપોર્ટ એ મુખ્યત્વે એક મુસાફરી કરવા માટેનો અધિકારીક દસ્તાવેજ છે, દેશની નાગરિકતાનો પુરાવો નથી. તેમણે એમ પણ કહ્યું કે, 2025 માં 15 મિલિયન પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાંથી 13.9 મિલિયન પાસપોર્ટ જ હતા.
વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ ચકાસણીને બાદ કરતાં, પાસપોર્ટ પ્રક્રિયામાં છ કાર્યકારી દિવસો લાગે છે. PSK (પાસપોર્ટ સેવા કેન્દ્રો) અને POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો) પર પ્રક્રિયા કરવામાં 45 મિનિટથી ઓછો સમય લાગે છે. દેશભરમાં 545 પાસપોર્ટ કેન્દ્રો છે, જે દસ વર્ષ પહેલાં ફક્ત 77 હતા. પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા છ ગણી વધી છે. અમે ગયા વર્ષે 10 POPSK ખોલ્યા હતા. આ વર્ષે બીજા 10 ખોલવામાં આવશે.
મંત્રાલયે બીજું શું જાહેર કર્યું?
ભારતના વિદેશ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીયો માટે વિઝા-મુક્ત પ્રવેશ ધરાવતા દેશોની સંખ્યા વધીને 27 થઈ છે, જે 2019 માં 16 હતી. 47 દેશો ભારતીયો માટે વિઝા-ઓન-અરાઇવલ ઓફર કરે છે, અને 66 દેશો ભારતીયોને ઇલેક્ટ્રોનિક વિઝા આપે છે. ગતિશીલતા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગે યુરોપ સાથે કરાયા છે. આમાં શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, એપ્રેન્ટિસ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓની સરળ હિલચાલને વધુ આસાન બનાવે છે. તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના સરળતાથી પાછા ફરવા માટે એક સિસ્ટમ પણ બનાવે છે.
કાયદો શું કહે છે?
જો તમારો જન્મ 1 જુલાઈ, 1987 પછી થયો હોય, તો ફક્ત જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ જ તમને ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે પૂરતું ના હોઈ શકે. કાયદા મુજબ, 1 જુલાઈ, 1987 પછી ભારતમાં જન્મેલી કોઈપણ વ્યક્તિ આપમેળે નાગરિકતાનો દાવો કરી શકતી નથી, સિવાય કે તેમના માતાપિતામાંથી ઓછામાં ઓછું એક ભારતીય હોય.
2013 માં, બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાના આરોપમાં ચાર લોકોને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, જોકે તેઓએ તેમની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે પાસપોર્ટ (જે પાછળથી રદ કરવામાં આવ્યા હતા), આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. ન્યાયાધીશ કેયુ ચાંડીવાલે તેમની અરજીઓ ફગાવી દેતા જણાવ્યું હતું કે, કાયદા હેઠળ, આવા અરજદારોએ સાબિત કરવું જરૂરી છે કે તેમના માતાપિતા ભારતીય નાગરિક હતા. આવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
કાયદા હેઠળ, 26 જાન્યુઆરી, 1950 ના રોજ અથવા તે પછી, પરંતુ 1 જુલાઈ, 1987 પહેલા ભારતમાં જન્મેલી વ્યક્તિ જન્મથી ભારતીય છે. જો કોઈ વ્યક્તિનો જન્મ 1 જુલાઈ, 1987 પછી થયો હોય.
