Parliament Building Event: સેંગોલ પર વિવાદ, હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસને આપ્યા પુરાવા
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ રીતિ-રિવાજો મુજબ સેંગોલનું સ્વાગત કર્યું હતું. હવે આ લોકો આ સેંગોલનું અપમાન કરી રહ્યા છે. દંભ પૂરજોશમાં છે. સેંગોલને અલગ-અલગ રંગોમાં રંગવાના પ્રયાસો થઈ રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે.
બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન સેંગોલને સ્પીકરની ખુરશી પાસે રાખવામાં આવશે. પહેલા ઉદ્ઘાટનને લઈને તો હવે સેંગોલને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે સરકારે સેંગોલ વિશે ખોટા તથ્યો રજૂ કર્યા છે, જેના વિશે આટલી ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દાવો કર્યો છે કે સેંગોલની ઐતિહાસિકતાના ઈતિહાસમાં કોઈ પુરાવા નથી.
જયરામ રમેશના આ દાવા અંગે હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. હરદીપ સિંહ પુરીએ દાવો કર્યો છે કે વર્ષ 1947માં અમેરિકાના ટાઈમ મેગેઝીનમાં એક લેખ છપાયો હતો અને જે લોકો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે તેઓએ આ લેખ વાંચવો જોઈએ અને માહિતી મેળવવી જોઈએ કે ‘સેંગોલ’ શેનું પ્રતીક છે. છેવટે, વર્ષ 1947 માં શું થયું હતું.
ये कहाँ आ गए हम! Time Magazine 1947- a must read for those who wish they had built the magnificent new Parliament instead of PM @narendramodi Ji on occasion of #AzadiKaAmritMahotsav & stoop to boycott the Temple of Democracy. https://t.co/HymazFMY4Y
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 26, 2023
મગરના આંસુ વહાવી રહ્યા છે – પુરી
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આઝાદી પહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ રીતિ-રિવાજો મુજબ સેંગોલનું સ્વાગત કર્યું હતું. હવે આ લોકો આ સેંગોલનું અપમાન કરી રહ્યા છે. દંભ પૂરજોશમાં છે. સેંગોલને અલગ-અલગ રંગોમાં રંગવાના પ્રયાસો થઈ રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે.
On that momentous day, a havan was performed, the pithambaram made from silk & gold was wrapped around PM by representative of the Adheenam who escorted the Sengol to Delhi by a special aircraft. Payasam from that morning’s pooja at the Nataraja temple was brought as prasad. pic.twitter.com/M11EGfQaf2
— Hardeep Singh Puri (@HardeepSPuri) May 26, 2023
પુરીએ કહ્યું કે આ લેખ એવા લોકોએ વાંચવો જોઈએ જેઓ એવું વિચારે છે કે પીએમ મોદીને બદલે તેમણે સંસદની નવી ઇમારત બનાવી છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે લોકશાહીના મંદિરનો બહિષ્કાર કરવાનું બંધ કરો.
સેંગોલને એક વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યુ હતુ – પુરી
પુરીએ લેખને ટાંકીને દાવો કર્યો હતો કે 1947માં આઝાદીની પૂર્વ સંધ્યાએ હવન કરવામાં આવ્યો હતો અને રેશમ અને સોનાથી બનેલા પીતામ્બરમને પીએમની આસપાસ વીંટાળવામાં આવ્યા હતા. આ દરમિયાન સેંગોલને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.