Opposition Meet: વિપક્ષની બેઠક પહેલા કોંગ્રેસ અને આપ આમને-સામને, કેજરીવાલ કરી શકે છે વોકઆઉટ
વટહુકમ અંગે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે વિપક્ષી દળોની બેઠકમાં તમામ પક્ષોના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમે અમારો મુદ્દો પણ રજૂ કરીશું. તમામ વિપક્ષી દળોએ અગાઉ પણ AAPને સમર્થન જાહેર કર્યું છે.
Opposition Meet: આવતીકાલે બિહારની (Bihar) રાજધાની પટનામાં વિપક્ષની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આશા છે કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રના વટહુકમ સામે પક્ષને સમર્થન આપશે, જો કે વટહુકમને લઈને કોંગ્રેસ અને AAP પહેલેથી જ આમને-સામને છે.
વિપક્ષની બેઠકમાંથી વોકઆઉટ કરી શકે છે આપ
સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બેઠકમાં વટહુકમનો મુદ્દો ઉઠાવશે. બેઠકમાં જો કોંગ્રેસ રાજ્યસભામાં વટહુકમ સામે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી વિપક્ષની બેઠકમાંથી વોકઆઉટ કરી શકે છે.
AAP એ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો
હવે આમ આદમી પાર્ટીએ વટહુકમને લઈને કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. AAPના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કરે TV9 Bharatvarsh ને જણાવ્યું હતું કે બિલને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ડીલ થઈ છે. AAPનો દાવો છે કે રાજ્યસભામાં વોકઆઉટ કરીને કોંગ્રેસ ભાજપને ફાયદો કરાવશે.
સંજય સિંહે બેઠક અંગે શું કહ્યું?
વટહુકમ અંગે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે વિપક્ષી દળોની બેઠકમાં તમામ પક્ષોના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમે અમારો મુદ્દો પણ રજૂ કરીશું. તમામ વિપક્ષી દળોએ અગાઉ પણ AAPને સમર્થન જાહેર કર્યું છે. વટહુકમ લાવીને મોદી સરકારે 8 દિવસમાં 5 જજોના નિર્ણયને બદલી નાખ્યો. બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
દેશની ચિંતા કરનારાઓની સભા, સોદાબાજી કરનારાઓની નહીં – કોંગ્રેસ
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે અરવિંદ કેજરીવાલ મીટિંગમાં જાય તો અમને કોઈ વાંધો નથી. અમને પહેલાથી જ ખબર હતી કે કેજરીવાલ વિપક્ષી એકતા તોડવાના બહાના શોધી રહ્યા છે. તેમને ઉપરથી સભામાં ન આવવાનો આદેશ મળ્યો હોવો જોઈએ. આ સભા દેશની ચિંતા કરનારા લોકોની છે, સોદાબાજી કરનારાઓની બેઠક નથી.
આ પણ વાંચો : Delhi: જીતનરામ માંઝી અમિત શાહ બાદ જેપી નડ્ડાને મળ્યા, કહ્યું- અમારી વફાદારી ભાજપ સાથે, NDAને કરશે મજબૂત
મનોજ તિવારીએ કેજરીવાલ પર કર્યો હતો કટાક્ષ
બીજેપી સાંસદ મનોજ તિવારીને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, સાંજ થવા દો. તેમણે (અરવિંદ કેજરીવાલ) કોંગ્રેસને જે અપશબ્દો કહ્યા, જે અપશબ્દો કેજરીવાલ મુલાયમ સિંહ અને લાલુ પ્રસાદ યાદવને કહ્યા હતા, શું તેજસ્વી યાદવ તેમને બચાવશે?