AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On This Day: આજના દિવસે જ ભારતીય ટીમે ચોથી વખત જીત્યો હતો U-19 વિશ્વ કપનો ખિતાબ, જાણો 3 ફેબ્રુઆરીનો ઈતિહાસ

3 ફેબ્રુઆરીનો દિવસ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. 1954માં આજના દિવસે અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગ કુંભ દરમિયાન ભાગદોડ મચી હતી અને 500 લોકોના મોત થયા હતા.

On This Day: આજના દિવસે જ ભારતીય ટીમે ચોથી વખત જીત્યો હતો U-19 વિશ્વ કપનો ખિતાબ, જાણો 3 ફેબ્રુઆરીનો ઈતિહાસ
Indian Team (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:57 AM
Share

ભારતીય ક્રિકેટ (Indian Cricket)માટે 3 ફેબ્રુઆરીનો દિવસ ઐતિહાસિક અને યાદગાર દિવસ છે. 4 વર્ષ પહેલા 3 ફેબ્રુઆરી 2018માં ભારતે ચોથી વખત અંડર-19 વિશ્વ કપ (U-19 World Cup)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડના બે ઓવલ મેદાનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની તગડી ટીમને 8 વિકેટથી હરાવી હતી. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને 216 રન પર સમેટીને બેટ્સમેનોના કામને સરળ કરી દીધું અને ત્યારબાદ મનજોત કાલરા (Manjot Kalra)એ 102 રન ફટકારી ટીમને વિશ્વ કપ જીતાડ્યો હતો.

3 ફેબ્રુઆરીનો દિવસ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. 1954માં આજના દિવસે અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગ કુંભ દરમિયાન ભાગદોડ મચી હતી અને 500 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ કુંભ મેળા દરમિયાન કરવામાં આવતી વ્યવસ્થાઓમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો. આ રીતે વર્ષ 2006માં 3 ફેબ્રુઆરીનો દિવસ હતો, ઇજિપ્તમાં લાલ સમુદ્રમાં એક યાટ ડૂબી જતાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દેશ અને દુનિયાના ઈતિહાસમાં 3 ફેબ્રુઆરીના દિવસે બનેલી ઘટનાઓ

1925: મુંબઈ અને કુર્લાની વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન ચાલી.

1954: અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગકુંભ દરમિયાન ભાગદોડ થવાથી 500 લોકોના મોત

1959: અમેરિકામાં વિમાન દુર્ઘટના રોક એન રોલના 3 સભ્યોના મોત થયા. તેમાં 22 વર્ષના જાણીતા ગાયક બડી હોલી પણ સામેલ હતા.

1969: કાંજીવરમ નટરાજન અન્નાદુરૈ તમિલનાડુના વરિષ્ઠ નેતા સીએન અન્નાદુરઈનું નિધન.

1971: ચંદ્ર પર ત્રીજા સફળ માનવયુક્ત અભિયાન દરમિયાન અમેરિકાનું અંતરિક્ષ યાન અપોલો 14 ચંદ્રની સપાટી પર ઉતર્યુ.

1986: પોપે કોલકત્તામાં મધર ટેરેસા સાથે મુલાકાત કરી અને દુ:ખી લોકોની સેવા માટે તેમના દ્વારા બનાવવામાં આવેલા ‘નિર્મલ હ્રદય’ આશ્રમની મુલાકાત કરી.

1988: પરમાણુ શક્તિથી સંચાલિત પ્રથમ સબમરીન આઈએનએસને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી.

2006: ઈજિપ્તમાં લાલ સમુદ્રમાં એક યાટ ડૂબી જતાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2018: ભારતે ન્યૂઝીલેન્ડમાં આયોજિત અંડર 19 ક્રિકેટ વિશ્વ કપમાં રેકોર્ડ ચોથી વખત ખિતાબ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો: Multibagger Stock : આ શેરે 3 વર્ષમાં આપ્યું 800 ટકા રિટર્ન, રોકાણકારોના રૂપિયા 1 લાખ બનાવ્યા 9.25 લાખ

આ પણ વાંચો: Surat : મહિલા સાથે ગર્ભાવસ્થામાં પણ કુકર્મ કરી મોબાઇલમાં રેકોર્ડિંગ કરતાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">