AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On This Day: આજના દિવસે જ ભારતીય ટીમે ચોથી વખત જીત્યો હતો U-19 વિશ્વ કપનો ખિતાબ, જાણો 3 ફેબ્રુઆરીનો ઈતિહાસ

3 ફેબ્રુઆરીનો દિવસ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. 1954માં આજના દિવસે અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગ કુંભ દરમિયાન ભાગદોડ મચી હતી અને 500 લોકોના મોત થયા હતા.

On This Day: આજના દિવસે જ ભારતીય ટીમે ચોથી વખત જીત્યો હતો U-19 વિશ્વ કપનો ખિતાબ, જાણો 3 ફેબ્રુઆરીનો ઈતિહાસ
Indian Team (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:57 AM
Share

ભારતીય ક્રિકેટ (Indian Cricket)માટે 3 ફેબ્રુઆરીનો દિવસ ઐતિહાસિક અને યાદગાર દિવસ છે. 4 વર્ષ પહેલા 3 ફેબ્રુઆરી 2018માં ભારતે ચોથી વખત અંડર-19 વિશ્વ કપ (U-19 World Cup)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડના બે ઓવલ મેદાનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની તગડી ટીમને 8 વિકેટથી હરાવી હતી. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને 216 રન પર સમેટીને બેટ્સમેનોના કામને સરળ કરી દીધું અને ત્યારબાદ મનજોત કાલરા (Manjot Kalra)એ 102 રન ફટકારી ટીમને વિશ્વ કપ જીતાડ્યો હતો.

3 ફેબ્રુઆરીનો દિવસ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. 1954માં આજના દિવસે અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગ કુંભ દરમિયાન ભાગદોડ મચી હતી અને 500 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ કુંભ મેળા દરમિયાન કરવામાં આવતી વ્યવસ્થાઓમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો. આ રીતે વર્ષ 2006માં 3 ફેબ્રુઆરીનો દિવસ હતો, ઇજિપ્તમાં લાલ સમુદ્રમાં એક યાટ ડૂબી જતાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દેશ અને દુનિયાના ઈતિહાસમાં 3 ફેબ્રુઆરીના દિવસે બનેલી ઘટનાઓ

1925: મુંબઈ અને કુર્લાની વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન ચાલી.

1954: અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગકુંભ દરમિયાન ભાગદોડ થવાથી 500 લોકોના મોત

1959: અમેરિકામાં વિમાન દુર્ઘટના રોક એન રોલના 3 સભ્યોના મોત થયા. તેમાં 22 વર્ષના જાણીતા ગાયક બડી હોલી પણ સામેલ હતા.

1969: કાંજીવરમ નટરાજન અન્નાદુરૈ તમિલનાડુના વરિષ્ઠ નેતા સીએન અન્નાદુરઈનું નિધન.

1971: ચંદ્ર પર ત્રીજા સફળ માનવયુક્ત અભિયાન દરમિયાન અમેરિકાનું અંતરિક્ષ યાન અપોલો 14 ચંદ્રની સપાટી પર ઉતર્યુ.

1986: પોપે કોલકત્તામાં મધર ટેરેસા સાથે મુલાકાત કરી અને દુ:ખી લોકોની સેવા માટે તેમના દ્વારા બનાવવામાં આવેલા ‘નિર્મલ હ્રદય’ આશ્રમની મુલાકાત કરી.

1988: પરમાણુ શક્તિથી સંચાલિત પ્રથમ સબમરીન આઈએનએસને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી.

2006: ઈજિપ્તમાં લાલ સમુદ્રમાં એક યાટ ડૂબી જતાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2018: ભારતે ન્યૂઝીલેન્ડમાં આયોજિત અંડર 19 ક્રિકેટ વિશ્વ કપમાં રેકોર્ડ ચોથી વખત ખિતાબ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો: Multibagger Stock : આ શેરે 3 વર્ષમાં આપ્યું 800 ટકા રિટર્ન, રોકાણકારોના રૂપિયા 1 લાખ બનાવ્યા 9.25 લાખ

આ પણ વાંચો: Surat : મહિલા સાથે ગર્ભાવસ્થામાં પણ કુકર્મ કરી મોબાઇલમાં રેકોર્ડિંગ કરતાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">