AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના નવા વેરીઅન્ટને લઈને WHO એ આપી ચેતવણી – સંક્રમણના વધતા કેસ અને નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાવચેત રહો

દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્ર માટે WHO ના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું, આપણે કોઈપણ કિંમતે સતર્કતા ઓછી કરવી જોઈએ નહીં.

કોરોનાના નવા વેરીઅન્ટને લઈને WHO એ આપી ચેતવણી - સંક્રમણના વધતા કેસ અને નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાવચેત રહો
New variant of corona virus
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 11:48 PM
Share

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શનિવારે દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રના દેશોને કોરોના વાયરસના સંક્રમણના નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને અને ઘણી જગ્યાએ સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સતર્કતા વધારવા અને જાહેર આરોગ્ય સંભાળ અને સામાજિક પગલાંને મજબૂત કરવા જણાવ્યું છે. WHOએ કહ્યું કે તહેવારો અને ઉજવણીમાં તમામ સાવચેતીના પગલાં લેવા જોઈએ અને ભીડવાળા સ્થળોની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ.

દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્ર માટે WHO ના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે, “આપણે કોઈપણ કિંમતે અમારી તકેદારી ઘટાડવી જોઈએ નહીં.” તેમણે એક નિવેદનમાં કહ્યું, આપણા ક્ષેત્રના મોટાભાગના દેશોમાં કોવિડ -19 કેસમાં ઘટાડો થયો છે, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં કેસોમાં વધારો થયો છે અને નવી ચિંતાજનક સ્વરૂપની પુષ્ટિ એ સતત જોખમની યાદ અપાવે છે. તેમજ  વાયરસ સામે રક્ષણ મેળવવા અને તેને ફેલાતા રોકવા માટે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખવાની જરૂર છે.

સિંહે કહ્યું કે દેશોએ તકેદારી વધારવી જોઈએ. તેમણે કહ્યું કે ચેપને રોકવા માટે વ્યાપક અને જરૂરીયાત અનુરૂપ જાહેર આરોગ્ય સેવાઓ અને સામાજિક પગલાં ચાલુ રાખવા જોઈએ. તેમણે કહ્યું કે જેટલા જલ્દી રક્ષણાત્મક પગલાં લાગુ કરવામાં આવશે, દેશોએ તેટલા જ ઓછા પ્રતિબંધિત પગલાં લેવા પડશે. સિંહે કહ્યું, “કોવિડ-19 જેટલો વધુ ફેલાશે, તેટલી જ વાયરસને સ્વરૂપ બદલવાની તક મળશે અને વૈશ્વિક મહામારી વધુ લાંબો સમય ચાલશે.”

‘સૌથી મહત્વપૂર્ણ પગલું ભરવાનો સમય’

તેમણે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ પગલું જે લોકોએ લેવું જોઈએ તે છે વાયરસના સંપર્કના જોખમને ઘટાડવાનું. તેમણે કહ્યું કે આ માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, યોગ્ય અંતર જાળવવું જોઈએ, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ, હાથ સાફ રાખવા જોઈએ, ખાંસી કે છીંક આવતી વખતે મોં ઢાંકવું જોઈએ અને રસીકરણ કરાવવું જોઈએ.

સિંહે કહ્યું, “અત્યાર સુધી પ્રદેશની 31 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, 21 ટકા વસ્તીને આંશિક રીતે રસી આપવામાં આવી છે અને લગભગ 48 ટકા લોકો અથવા લગભગ એક અબજ લોકો એવા  છે, જેમણે કોવિડ-19 વિરોધી રસીનો એક પણ ડોઝ લીધો નથી. તેમણે કહ્યું કે જે લોકોએ રસી નથી લીધી તેમને સંક્રમણ લાગવાનું અને તેમના દ્વારા સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલું છે. તેમણે કહ્યું કે રસીકરણ પછી પણ દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટેકનિકલ એડવાઈઝરી કમિટીએ કોરોના વાયરસના નવા સ્વરૂપને ‘ઓમિક્રોન’ નામ આપ્યું છે અને તેને ‘અત્યંત ચેપી ચિંતાજનક સ્વરૂપ’ ગણાવ્યું છે. અગાઉ આ કેટેગરીમાં કોરોના વાયરસનું ‘ડેલ્ટા’ સ્વરૂપ હતું, જેના કારણે યુરોપ અને અમેરિકાના ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :  Omicron Variant: દેશ માટે ખતરો ! કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા 2 નાગરિકો કોરોના પોઝિટિવ

Follow Us
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
g clip-path="url(#clip0_868_265)">