AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ‘કોમી રંગ’ આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી

બાલાસોર ટ્રેન અકસ્માત શુક્રવારે (2 જૂન) સાંજે 7 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા અને અનેક લોકોની સારવાર બાદ રજા આપવામાં આવી છે

Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને 'કોમી રંગ' આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:58 PM
Share

Odisha: ઓડિશા પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સામે ચેતવણી જાહેર કરી છે. પોલીસે કહ્યું કે જે લોકો બાલાસોર અકસ્માતને “કોમી રંગ” આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.

આ પણ વાચો: ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસોઃ લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યુ ગ્રીન સિગ્નલ, જુઓ Video

લોકોને “ખોટી અને ખરાબ પોસ્ટ્સ” ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરતા પોલીસે કહ્યું, “ઓડિશામાં જીઆરપી દ્વારા દુર્ઘટનાનું કારણ અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા પર આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. બાલાસોરમાં થયેલો ટ્રેન અકસ્માત દુ:ખદ છે અને તેના પર આ પ્રકારનો સાંપ્રદાયિક રંગ આપવો પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

અકસ્માત કેવી રીતે થયો

શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓડિશાના બાલાસોરમાં બહંગા રેલવે સ્ટેશન પર બે ટ્રેન અને એક માલગાડીનો અકસ્માત થયો હતો. રેલવે તરફથી જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશન (શાલીમાર-મદ્રાસ)ની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે અપ લૂપ લાઇન પર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી.

275 મુસાફરોના મોત

ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 275 છે અને 288 નથી. ડીએમએ ડેટા તપાસ્યો અને જાણવા મળ્યું કે કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી, તેથી મૃત્યુઆંકમાં સુધારો કરવામાં આવ્યો હતો અને 275 કરવામાં આવ્યો છે. 275 મૃતદેહોમાંથી 88ની ઓળખ થઈ ગઈ છે. 1,175 ઘાયલોમાંથી 793ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ ડેટા બપોરે 2 વાગ્યાનો છે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">