AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ‘કોમી રંગ’ આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી

બાલાસોર ટ્રેન અકસ્માત શુક્રવારે (2 જૂન) સાંજે 7 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા અને અનેક લોકોની સારવાર બાદ રજા આપવામાં આવી છે

Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને 'કોમી રંગ' આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:58 PM
Share

Odisha: ઓડિશા પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સામે ચેતવણી જાહેર કરી છે. પોલીસે કહ્યું કે જે લોકો બાલાસોર અકસ્માતને “કોમી રંગ” આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.

આ પણ વાચો: ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસોઃ લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યુ ગ્રીન સિગ્નલ, જુઓ Video

લોકોને “ખોટી અને ખરાબ પોસ્ટ્સ” ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરતા પોલીસે કહ્યું, “ઓડિશામાં જીઆરપી દ્વારા દુર્ઘટનાનું કારણ અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા પર આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. બાલાસોરમાં થયેલો ટ્રેન અકસ્માત દુ:ખદ છે અને તેના પર આ પ્રકારનો સાંપ્રદાયિક રંગ આપવો પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

અકસ્માત કેવી રીતે થયો

શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓડિશાના બાલાસોરમાં બહંગા રેલવે સ્ટેશન પર બે ટ્રેન અને એક માલગાડીનો અકસ્માત થયો હતો. રેલવે તરફથી જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશન (શાલીમાર-મદ્રાસ)ની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે અપ લૂપ લાઇન પર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી.

275 મુસાફરોના મોત

ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 275 છે અને 288 નથી. ડીએમએ ડેટા તપાસ્યો અને જાણવા મળ્યું કે કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી, તેથી મૃત્યુઆંકમાં સુધારો કરવામાં આવ્યો હતો અને 275 કરવામાં આવ્યો છે. 275 મૃતદેહોમાંથી 88ની ઓળખ થઈ ગઈ છે. 1,175 ઘાયલોમાંથી 793ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ ડેટા બપોરે 2 વાગ્યાનો છે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">