રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારનું નિવેદન, ‘મને PM બનવાની ઈચ્છા નથી’

હાલમાં વિપક્ષની એકતાને મજબૂત બનાવવા માટે આજે સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીના ત્રણ દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. નીતીશ કુમાર (Nitish Kumar) આ પ્રવાસમાં સૌથી પહેલા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારનું નિવેદન, 'મને PM બનવાની ઈચ્છા નથી'
Nitish Kumar And Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 10:57 PM

ભારતીય રાજનીતિમાં ક્યારે શું થઈ જાય તેની કોઈને ખબર નથી હોતી. ક્યારેક કટ્ટર દુશ્મનો એક થઈ જાય છે, ક્યારેક દુશ્મનના દુશ્મન મિત્ર બની જતા હોય છે. વિપક્ષ પણ ફરી સરકારમાં આવવા માટે અવનવા અખતરા કરતા હોય છે. હાલમાં વિપક્ષની એકતાને મજબૂત બનાવવા માટે આજે સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીના ત્રણ દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. નીતીશ કુમાર (Nitish Kumar) આ પ્રવાસમાં સૌથી પહેલા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા. આ મુલાકાતમાં નીતીશ અને રાહુલે વિપક્ષને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. તે ચર્ચામાં મોદી સરકારને 2014ની ચૂંટણી પહેલા ઘેરવાની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન નીતીશ કુમારે રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ માટે શુભકામનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન નીતીશ કુમારે બિહારની નવી સરકારને સર્મથન આપવા માટે રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. નીતીશ કુમાર અને રાહુલ ગાંધી વચ્ચે સમાન વિચારવાળા વિપક્ષી દળોને સાથે લાવી, દેશ સામે એક નવો અને મજબૂત વિકલ્પ ઉભો કરવાની સંભાવનાઓની પણ ચર્ચા થઈ હતી. દિલ્હી પહોંચેલા નીતીશ કુમારે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.

મને PM બનવાની ઈચ્છા નથી

મીડિયા સાથેની વાતચીતમાં નીતીશ કુમારે કહ્યું કે મારો વડાપ્રધાન પદની દાવેદારી કરવાનો કોઈ ઈરાદો નથી. મારો પ્રયત્ન ફકત વિપક્ષને એક કરવાનો છે. વિપક્ષ જો એક થશે, તો જ ભાજપથી મુકાબલો થઈ શકશે. જો બધી વિપક્ષીય પાર્ટી એક થશે તો ચૂંટણીમાં ભાજપની સીટો ઘટશે. વિપક્ષ સાથે આવશે તો 2024નો મહોલ પણ સારો બનશે. ભાજપ ક્ષેત્રીય પાર્ટીઓને નબળો બનાવવાનો પ્રયાસ કરી રહી છે પણ 2024 પહેલા ક્ષેત્રીય દળોને એક કરવા પડશે. સૂત્રો અનુસાર નીતીશ કુમાર વિપક્ષને એક કરવા હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ જશે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આ નેતાઓને મળી શકે છે નીતીશ કુમાર

આ ત્રણ દિવસના પ્રવાસ પહેલા નીતીશ કુમાર તેમના જૂના સાથી લાલુ યાદવને મળ્યા હતા. આ ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ એનસીપીના વડા શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના પ્રમુખ કુમારસ્વામી ને મળશે. નીતિશ કુમાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ડાબેરી પક્ષોના નેતાઓને પણ મળવાના છે. નીતિશની સાથે તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંહ અને બિહારના મંત્રી સંજય ઝા અને અશોક ચૌધરી પણ છે. તેવામાં જોવોનું એ રહ્યુ કે નીતીશ કુમાર પોતાના આ કાર્યામાં સફળ થાય છે કે નહીં.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">