Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, ભગવંત માને કહ્યું-  વોટ્સએપ દ્વારા નોંધાવી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ

પત્રકારો સાથે વાત કરતા આપના ઘણા ધારાસભ્યોએ કહ્યું કે તેઓ રાજ્યના લોકોને આપેલા તમામ વચનો પૂરા કરશે. મોગાના આપ ધારાસભ્ય ડૉ. અમનદીપ કૌર અરોરાએ કહ્યું, આપણે શૂન્યથી શરૂઆત કરવી પડશે કારણ કે આખી સિસ્ટમ બદલવી પડશે.

પંજાબ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, ભગવંત માને કહ્યું-  વોટ્સએપ દ્વારા નોંધાવી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ
Punjab Chief Minister Bhagwant Mann
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 12:00 AM

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે 16મી પંજાબ વિધાનસભાના (Punjab Assembly) સભ્યો તરીકે શપથ લીધા હતા. આ સાથે રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી શરૂ થયું છે.  ‘પ્રોટેમ સ્પીકર’ (કામચલાઉ એસેમ્બલી સ્પીકર) ઇન્દરબીર સિંહ નિજ્જરે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત ધારાસભ્યો બન્યા છે. સૌથી પહેલા મુખ્યમંત્રી ભગવંત માને ગૃહના સભ્ય તરીકે શપથ લીધા. નોંધપાત્ર રીતે, માને બુધવારે ખટકડ કલાન ગામમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ના નારા સાથે શપથનું સમાપન કર્યું.

માન બાદ મહિલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. અમન અરોડ સહિત પક્ષના કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં પ્રવેશતા પહેલા માથું ઝુકાવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો તેમના પરિવારના સભ્યો સાથે પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સંદીપ જાખડ સહિત અનેક ધારાસભ્યોએ હિન્દીમાં શપથ લીધા હતા. માલેરકોટલાથી આપના ધારાસભ્ય મોહમ્મદ જમીલ ઉર રહેમાને ઉર્દૂમાં શપથ લીધા. નાભાના ધારાસભ્ય ગુરદેવ સિંહ દેવ માન સાયકલ દ્વારા પંજાબ વિધાનસભા પહોંચ્યા. શપથ લેનારા કોંગ્રેસના ધારાસભ્યોમાં સુખજિંદર રંધાવા, તૃપ્ત રાજિન્દર બાજવા અને પ્રતાપ સિંહ બાજવાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય રાણા ગુરજીત સિંહ, તેમના પુત્ર અને અપક્ષ ધારાસભ્ય રાણા ઈન્દર પ્રતાપ સિંહ અને એસએડી ધારાસભ્ય ગનીવ કૌર સહિત પાંચ ધારાસભ્યો શપથ ગ્રહણ માટે ગૃહમાં હાજર ન હતા. આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 92 બેઠકો જીતીને કોંગ્રેસ, એસએડી-બીએસપી ગઠબંધન, ભાજપ-પંજાબ લોક કોંગ્રેસ-એસએડી (યુનાઈટેડ) ગઠબંધનને હરાવીને સત્તા મેળવી.

કપડા કેટલીવાર પહેર્યા પછી ધોવા જોઈએ, મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલ
કોઈ બીજું તો નથી વાંચી રહ્યું તમારા WhatsApp મેસેજ, આ રીતે કરો ચેક
Ambani Family: મુકેશ અંબાણીનો પરિવાર એન્ટિલિયાના 27માં માળે કેમ રહે છે ?
Charger: ફોન ચાર્જર અસલી છે કે નકલી તે કેવી રીતે ઓળખવું?
નદીમાં સિક્કો ફેંકવાથી ખરેખર મનોકામના પૂર્ણ થાય છે? પ્રેમાનંદ મહારાજે કહ્યું સત્ય
Biggest Vastu Dosh: ઘરમાં સૌથી મોટો વાસ્તુ દોષ શું હોય છે?

પત્રકારો સાથે વાત કરતા આપના ઘણા ધારાસભ્યોએ કહ્યું કે તેઓ રાજ્યના લોકોને આપેલા તમામ વચનો પૂરા કરશે. મોગાના આપ ધારાસભ્ય ડૉ. અમનદીપ કૌર અરોરાએ કહ્યું, આપણે શૂન્યથી શરૂઆત કરવી પડશે કારણ કે આખી સિસ્ટમ બદલવી પડશે. અમે તમામ કામ કરીશું. જે પણ ખાતરી આપવામાં આવી છે તે પૂરી કરવામાં આવશે. પંજાબને એક આદર્શ રાજ્ય તરીકે દર્શાવવામાં આવશે.

પંજાબમાં  WhatsApp દ્વારા  નોંધાવી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે રાજ્યના લોકો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 23 માર્ચ શહીદ દિવસના રોજ ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યના લોકો વોટ્સએપ દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાવી શકશે. સીએમ ભગવંત માને કહ્યું, ’23 માર્ચે શહીદ દિવસના અવસર પર, હું એક હેલ્પલાઇન શરૂ કરીશ, જે મારો અંગત WhatsApp નંબર હશે. પંજાબમાં, જો કોઈ તમારી પાસે લાંચ માંગે, તો ના પાડશો નહીં, વીડિયો/ઓડિયો રેકોર્ડિંગ બનાવો અને તેને તે નંબર પર મોકલો. “મારું કાર્યાલય આ બાબતની તપાસ કરશે અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં,” તેમણે કહ્યું.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેન છોડવા માંગે છે લગભગ 15-20 ભારતીયો, તમામ પ્રકારની કરી રહ્યા છીએ મદદ- વિદેશ મંત્રાલય

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
g clip-path="url(#clip0_868_265)">