તહેવારોમાં બેદરકારીને કારણે આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો નિષ્ણાતોએ શું આપી ચેતવણી

નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ઘણા તહેવારો છે આવી સ્થિતિમાં લોકો માટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો બેદરકારી રાખવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વધી જાય છે.

તહેવારોમાં બેદરકારીને કારણે આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો નિષ્ણાતોએ શું આપી ચેતવણી
Negligence in festive season may lead to third wave of covid. need to follow covid protocol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 8:49 PM

દેશમાં કોરોનાની બીજી લહેર બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ઘણા દિવસોથી કોરોના સક્રિય કેસ ઘટી રહ્યા છે. જોકે તહેવારોને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ સાવધ રહેવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ઘણા તહેવારો છે આવી સ્થિતિમાં લોકો માટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો બેદરકારી રાખવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona) આવવાની સંભાવના વધી જાય છે.

તહેવારો દરમિયાન સાવચેત રહો

AIIMS ના ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટના ડોક્ટર યુદ્ધવિર સિંહનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઝડપી રસીકરણ બાદ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોરોનાના કોઈ નવા પ્રકારો સામે આવ્યા નથી. હવે તહેવારોની સીઝનમાં ખતરો હોઈ શકે છે જો લોકો તહેવારો દરમિયાન કોરોનાથી બચવાના નિયમોનું પાલન ન કરે તો ત્રીજી લહેરની સંભાવના છે. તેથી, ચેપને રોકવા માટે ધ્યાન આપવું પડશે, લોકોને સમજવું પડશે કે દેશમાં કોરોના નિયંત્રણ હેઠળ છે, પરંતુ આ વાયરસ સમાપ્ત થયો નથી. એવા ઘણા દેશો પણ છે જ્યાં અડધાથી વધુ વસ્તીના રસીકરણ પછી પણ વાયરસ ફરી ફેલાઈ રહ્યો છે. એટલા માટે લોકોએ કોરોનાને હળવાશથી ન લેવો જોઈએ અને તહેવારને સાવધાની સાથે ઉજવવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવા વેરિઅન્ટ પર નિર્ભર રહેશે

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના ચેરમેન ડોક્ટર જુગલ કિશોરે કહ્યું કે દેશમાં કોરોનાનો નવું વેરિએન્ટ નહીં આવે ત્યાં સુધી ત્રીજી લહેર નહીં આવે. જો કે, કેટલાક વિસ્તારો અથવા રાજ્યોમાં, કોરોનાના કેસોમાં ઉતાર – ચડાવ આવશે. આ એવા વિસ્તારોમાં થશે જ્યાં અગાઉ વાયરસનો ફેલાવો ઓછો થયો હતો. આ સાથે, લોકોએ તહેવારો દરમિયાન પણ સતર્ક રહેવું પડશે. કારણ કે તહેવારો દરમિયાન લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે. જો આ સમય દરમિયાન કોરોનાથી બચવાના નિયમોનું પાલન કરવામાં ન આવે તો ત્રીજી લહેરની સંભાવના વધી શકે છે.

બજારોમાં જતી વખતે સાવચેતી રાખવી જરૂરી

આકાશ હોસ્પિટલના ડો.મીનલ ચૌધરી કહે છે કે તહેવારો દરમિયાન બજારોમાં જતી વખતે લોકોએ સાવધાની રાખવી પડે છે.કારણ કે તહેવારો દરમિયાન બજારોમાં ઘણી ભીડ હોય છે. ત્યાં, માત્ર એક વ્યક્તિ ઘણા લોકોને ચેપ લગાવી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે જ્યારે પણ તમે બજારમાં જાઓ ત્યારે માસ્ક પહેરો અને બે મીટરના અંતરને પણ અનુસરો.

AIIMS ના ડિરેક્ટરે ત્રીજી લહેર અંગે નિવેદન આપ્યું છે

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા કહે છે કે જો લોકો કોવિડથી બચવાના નિયમોનું પાલન કરશે તો ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે જો ત્રીજી તરંગ કોઈ કારણસર આવે તો પણ તે બીજાની જેમ ખતરનાક નહીં હોય.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર પૂર્ણ કર્યા 20 વર્ષ ! છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

આ પણ વાંચો: Lakhimpur Violence: રાહુલ-પ્રિયંકા ગાંધી સીતાપુરથી લખીમપુર જવા રવાના, અખિલેશ યાદવ પણ આવતીકાલે લેશે મુલાકાત

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">