AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence: રાહુલ-પ્રિયંકા ગાંધી સીતાપુરથી લખીમપુર જવા રવાના, અખિલેશ યાદવ પણ આવતીકાલે લેશે મુલાકાત

પ્રિયંકા ગાંધીને આજે સીતાપુરની અસ્થાયી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ બંને ભાઈ -બહેનો લખીમપુર જવા રવાના થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ પણ ગુરુવારે લખીમપુર પહોંચી શકે છે.

Lakhimpur Violence: રાહુલ-પ્રિયંકા ગાંધી સીતાપુરથી લખીમપુર જવા રવાના, અખિલેશ યાદવ પણ આવતીકાલે લેશે મુલાકાત
Rahul Gandhi and Priyanka Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 8:02 PM
Share

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Rahul Gandhi and Priyanka Gandhi) સીતાપુરથી લખીમપુર જવા રવાના થયા છે. આ પહેલા રાહુલ સીતાપુરમાં પીએસી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં યુપી પ્રશાસન દ્વારા પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રિયંકા ગાંધીને આજે સીતાપુરની અસ્થાયી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ બંને ભાઈ -બહેનો લખીમપુર જવા રવાના થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ પણ ગુરુવારે લખીમપુર પહોંચી શકે છે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી, એરપોર્ટ પર લખીમપુર જવા માટે પહોંચ્યા હતા, તેમના વાહન દ્વારા જવા દેવાયા ન હોવાના વિરોધમાં એરપોર્ટ પરિસરમાં ધરણા પર બેઠા હતા. આ દરમિયાન રાહુલે અધિકારીઓ સાથે દલીલ પણ કરી હતી. મામલો થોડા સમયમાં ઉકેલાઈ ગયો અને તેઓ સીતાપુર જવા રવાના થયા.

રાહુલ પોતાની કાર દ્વારા સીતાપુર અને લખીમપુર જવા માંગતા હતા પરંતુ વહીવટીતંત્રે પોતાની કાર દ્વારા તેને લેવા માટે મક્કમ હતા. એરપોર્ટ પર હંગામા વચ્ચે રાહુલે આરોપ લગાવ્યો કે આ લોકો બળજબરી પૂર્વક તેમની કાર દ્વારા તેમને લઈ જવા માંગે છે, જ્યારે હું મારી કાર દ્વારા જવા માંગુ છું, આ લોકો ગુંડાગીરી કરી રહ્યા છે.

રાહુલે એરપોર્ટ પર ધરણા શરૂ કર્યા હતા અને તેની સાથે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની પણ હતા. રાહુલે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ પોલીસની ગાડીમાં નહીં જાય કારણ કે તેમને ખાતરી નહોતી કે તેઓ તેમને ક્યાં લઈ જશે. રાહુલ મક્કમ હતા કે તે પોતાની કાર દ્વારા સીતાપુર અને પછી લખીમપુર જશે. રાહુલે પત્રકારોને કહ્યું કે મને કેવી રીતે પરવાનગી આપવામાં આવી છે કે પોલીસ મને એરપોર્ટની બહાર જવા દેતી નથી. કયા કાયદા હેઠળ સરકાર નક્કી કરી રહી છે કે હું કેવી રીતે જઈશ?

ઘણાં સંઘર્ષ બાદ રાહુલને લખીમપુર જવાની પરવાનગી મળી ઘણા સંઘર્ષ બાદ, યોગી સરકારે બુધવારે બપોરે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને 2 અન્ય લોકો સાથે લખીમપુર જવાની મંજૂરી આપી હતી. પ્રિયંકા ગાંધીને સીતાપુરની અસ્થાયી જેલમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા છે. રાહુલ લખનૌ એરપોર્ટથી સીતાપુર ગયા હતા જ્યાંથી તેઓ પ્રિયંકા સાથે પીડિત ખેડૂત પરિવારોને મળવા માટે લખીમપુર જવા રવાના થયા હતા. પ્રિયંકા ગાંધીને રવિવારે રાત્રે લખીમપુર જતી વખતે અટકાયત કરવામાં આવી હતી અને મંગળવારે 36 કલાક બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રોડ અકસ્માતમાં લોકોને બચાવવા સરકારની અનોખી પહેલ, “કરો મદદ અને મેળવો ઈનામ”

આ પણ વાંચો: Char Dham Yatra 2021: ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી નવી SOP, જાણો શું છે નવા નિયમો

ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી
સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી
g clip-path="url(#clip0_868_265)">