Nagpur Positive News : નાગપુરના પ્રાણી પ્રેમી રંજીતનાથનું આ કાર્ય જોઇ આપ પણ કહેશો વાહ !
Nagpur : રંજીત નાથ, જેઓ નાગપુરના (Nagpur) રહેવાસી છે. રંજીત કોરોના મહામારીની શરુઆતથી જ લગભગ 190 શ્વાસને ચિકન બિરયાની (Chicken Biryani) ખવડાવે છે. લોકો પ્રેમથી તેમને રંજીત દાદા પણ કહે છે.
Nagpur : કોરોના (Corona) મહામારીના આ સમયગાળામાં એવા કેટલાય લોકો છે જેમને એક સમયનું ભોજન પણ ઘણી મુશ્કેલીથી મળી રહ્યુ છે અને લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ એવી છે જે રોજ ઘરની બહાર નિકળી રહી છે પણ તે પોતાના માટે નહી પરંતુ અબોલ જીવો માટે.
રસ્તા પર રખડતા શ્વાન (Dogs) ભૂખ્યા ન રહે તે માટે રંજીતનાથ કે જેઓ નાગપુરના રહેવાસી છે તેમણે કોરોના મહામારીની શરુઆતથી જ લગભગ 190 શ્વાનને ચિકન બિરયાની (Chicken Biryani) ખવડાવે છે. લોકો પ્રેમથી તેમને રંજીત દાદા પણ કહે છે.
શ્વાન માટે બનાવાય છે 30-40 કિલો બિરયાની
રંજીત નાથ (Ranjeet Nath) મહામારીની શરુઆતથી રોજ લગભગ 40 કિલો બિરયાની બનાવી રહ્યા છે અને રસ્તા પર રખડતા 190 શ્વાનને ખવડાવે છે. એએનઆઈ ન્યુઝ એજન્સીને ઇન્ટરવ્યુ દરમિયાન રંજીત નાથે કહ્યુ કે હું બુધવાર,શુક્રવાર અને રવિવારે વ્યસ્ત હોવ છુ કારણ કે હું શ્વાન માટે 30-40 કિલોગ્રામ બિરયાની તૈયાર કરુ છું. તેઓ હવે મારા બાળકો જેવા છે. હું જીવીશ ત્યાં સુધી આ કામ કરીશ. આ કામથી મને ખુશી મળે છે.
Ranjeet Nath from Maharashtra's Nagpur feeds around 190 stray dogs with biryani. He said, "I am busy on Wednesday, Sunday & Friday as I prepare 30-40 kg biryani for these dogs. They are like my kids now. I won’t leave this work till I am alive, it makes me happy."(19.05) pic.twitter.com/DAlebZN7fW
— ANI (@ANI) May 19, 2021
રંજીત નાથના દિવસની શરુઆત બિરયાનીની તૈયારી સાથે થાય છે. તેઓ બપોરથી જ બનાવાનુ શરુ કરી દે છે અને રોજ સાંજે 5 વાગ્યે પોતાના બાઇક પર એક મોટુ વાસણ લઇ રખડતા શ્વાનને ખવડાવા માટે શહેરમાં નિકળે છે. નાથ જણાવે છે કે મારી પાસે 10-12 નિશ્ચિત સ્થાન છે અને મારા બાળકો એ જગ્યાઓ વિશે જાણે છે. જેવો તેઓ મને જોવે છે મારી તરફ દોડવા લાગે છે. હું રસ્તા પર જાનવરો સાથે ભેદભાવ નથી કરતો બિલાડીઓને પણ ખવડાવું છું.