AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2002માં દીકરો ઘરેથી ભાગી ગયો, 22 વર્ષ બાદ સાધુ બનીને ફર્યો પરત, પરંતુ કહાનીના અંતમાં ખૂલ્યું સાચું રહસ્ય 

તમને એમ કહે કે તમારો દીકરો સાધુ બની ગયો છે, તો તમને કેવો અનુભવ થાય? આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના લખનૌમાં બન્યો છે. જેમાં એક માતા પિતાને 22 વર્ષ બાદ તેમનો ખોવાયેલો દીકરી મળ્યો, જે સાધુ બનીને આવ્યો હતો. ખોવાયેલા 'પુત્ર'ને મળવાની ખુશી આખા પરિવારમાં હતી. 22વર્ષ બાદ પરિવારને મળતા માતા પિતા અને પુત્રનો વીડિયો પણ સોથિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પણ ત્યારબાદ હ્રદયને ર્સ્પશી જાય તેવી કહાનીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો અને બહાર આવી એવી ક્રાઇમની ઘટના જેને જાણી સૌ ઇ ચોંકી ગયા.

2002માં દીકરો ઘરેથી ભાગી ગયો, 22 વર્ષ બાદ સાધુ બનીને ફર્યો પરત, પરંતુ કહાનીના અંતમાં ખૂલ્યું સાચું રહસ્ય 
Tushar Kodekar
| Edited By: | Updated on: Feb 11, 2024 | 8:14 PM
Share

એક એવી કરૃણ ઘટના સામે આવી છે જેમાં 22 વર્ષ પહેલા ખોયેલો પુત્ર પરત ફર્યો છે. આ દરમ્યાન માં બાપને પુત્રને મળવાની ખુશી તો હતી પરંતુ તેની પાછળ એવી ઘટના અને ટ્વીસ્ટ છુપાયો હતો જેણે જાણી માતા પિતાના પગ નીચે થી જમીન સરકી ગઈ. માતા ભાનુમતી અને તેના પતિ રતિપાલ સિંહને માહિતી મળી હતી કે એક સાધુ તેમના મૂળ ગામ અમેઠીના ખરૌલીમાં આવ્યો છે અને તેના શરીર પર તેમના ખોવાયેલા પુત્ર પિંકુ જેવું જ નિશાન છે.

તેમના સંબંધીઓએ પિતા રતિપાલ અને માતા ભાનુમતિને ખરૌલી આવવા કહ્યું અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સાધુએ તેમને કહ્યું કે તે ખરેખર તેમનો પુત્ર છે. માતા ભાનુમતી તેના ખોવાયેલા ‘પુત્ર’ને મળવાનું આ દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું.

પોતાનું રાજ્ય છોડીને સાધુ બન્યો

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડિયોમાં, એક સાધુ પાંડોરા પાસેથી ભિક્ષા માંગે છે, જે એક રાજા વિશે લોકગીત ગાય છે જે પોતાનું રાજ્ય છોડીને સાધુ બન્યો હતો. વીડિયોમાં ભાનુમતીના ગાલ પર ખુશીના આંસુઓ જોઈ શકાય છે.

સાધુ બનેલ પિંકુએ તેમને કહ્યું કે તેણે સન્યાસ લીધો છે અને ઝારખંડમાં તેના પારસનાથ મઠમાં પાછા ફરવું પડશે. તેમના ગુરુએ તેમને કહ્યું હતું કે તેમની દીક્ષા ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તેઓ અયોધ્યા જશે અને પછી તેમના પરિવારના સભ્યો પાસેથી ભિક્ષા લેશે. માતાપિતાએ શરૂઆતમાં પિંકુને જવા દેવાની ના પાડી.

ગ્રામજનોએ મળીને 13 ક્વિન્ટલ અનાજ ભિક્ષા તરીકે આપ્યું

આખરે માતા પિતાએ હાર માની લીધી. ગ્રામજનોએ મળીને 13 ક્વિન્ટલ અનાજ ભિક્ષા તરીકે આપ્યું અને પરિવારે 11,000 રૂપિયા આપ્યા. પિતાએ પિંકુ માટે ફોન ખરીદ્યો અને તેને સંપર્કમાં રહેવા કહ્યું. પિંકુ 1 ફેબ્રુઆરીએ ગામ છોડી જતો રહ્યો હતો.

ગયા પછી, પિંકુએ પિતા રતિપાલને ફોન કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે તેમની પાસે પાછા ફરવા માંગે છે, પરંતુ મઠના લોકોએ તેને કહ્યું હતું કે જ્યાં સુધી તે તેમને 10 લાખ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તે આમ કરી શકશે નહીં. તેણે પિતા રતિપાલાને કહ્યું, આ તે કિંમત છે જે સાધુને પારિવારિક જીવનમાં પાછા ફરવા માટે ચૂકવવી પડે છે. તેના પુત્રને તેના પરિવારમાં પાછો લાવવા માટે બેતાબ, પિતાએ ગામની તેની જમીન રૂ. 11.2 લાખમાં વેચી દીધી.

પિતાને બેંક ટ્રાન્સફર દ્વારા અથવા યુપીઆઈ એપનો ઉપયોગ કરીને પૈસા મોકલવાનો આગ્રહ કર્યો

પિંકુએ પિતાને આશ્રમમાં કેમ ન આવવું જોઈએ તેના ઘણા કારણો આપ્યા, પરંતુ તેમાંથી કોઈ પણ વિશ્વસનીય નહોતું. તેણે પિતાને બેંક ટ્રાન્સફર દ્વારા અથવા યુપીઆઈ એપનો ઉપયોગ કરીને પૈસા મોકલવાનો આગ્રહ પણ શરૂ કર્યો. આનાથી પિતાને શંકા ગઈ અને તેણે પૂછપરછ શરૂ કરી, પરંતુ જાણવા મળ્યું કે ઝારખંડમાં પારસનાથ મઠ નામનો કોઈ હિંદુ મઠ છે જ નહી.

ત્યારબાદ પિતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી, જે બાદ પોલીસે તપાસ કરતા જાળવા મળ્યું કે પિંકુ કોઇ છે જ નહી. પિંકુ તરીકે દેખાડનાર વ્યક્તિ ખરેખર ગોંડા ગામનો નફીસ નામનો વ્યક્તિ હતો, જે આ પરિવારને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ઠગ ટોળકીએ આ પહેલા પણ આવી રીતે છેતરપિડી કરી છે. 2021માં આવી જ રીતે એક ગામમાં જઇ ખોવાયેલ પુત્ર હોવાનું કહી ઘરમાં રહેલ લાખોની ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતા

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">