VIP હજ ક્વોટા સમાપ્ત કરવા મોદી સરકારનો નિર્ણય, સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને લીધી આડે હાથે

હજને લઈને યુપીએના શાસન દરમિયાન વીઆઈપી કલ્ચર લાગુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લઘુમતી બાબતોના મંત્રાલયની હજ સમિતિ અને સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા તમામને વિશેષ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો.

VIP હજ ક્વોટા સમાપ્ત કરવા મોદી સરકારનો નિર્ણય, સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને લીધી આડે હાથે
Hajj And Umrah 2023 ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 8:50 AM

કેન્દ્ર સરકારે હજ યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. હજ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ VIP ક્વોટા હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, વર્તમાન મોદી સરકારે દેશના ટોચના બંધારણીય પદો અને લઘુમતી બાબતોના મંત્રાલયમાં લોકો માટે ઉપલબ્ધ આરક્ષિત હજ ક્વોટાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. VIP કલ્ચરને ખતમ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પનો આ એક ભાગ છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, અનામત ક્વોટા કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.

યુપીએના શાસનમાં લાગુ થયુ હતો VIP ક્વોટા

હજને લઈને યુપીએના શાસન દરમિયાન વીઆઈપી કલ્ચર લાગુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લઘુમતી બાબતોના મંત્રાલય, હજ સમિતિ અને સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા તમામ લોકો માટે વિશેષ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. ઈરાનીએ કહ્યું કે હજ કમિટીએ આ ક્વોટા નાબૂદ કરવા વિનંતી કરી હતી અને વિવિધ રાજ્યોની તમામ હજ કમિટીઓએ તેનું સમર્થન કર્યું છે. હજ પ્રક્રિયામાં આ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવામાં આવ્યું છે.

VIP ક્વોટા હેઠળ 5,000 બેઠકો હતી

તેમણે કહ્યું કે 2012માં જ્યારે તેની શરૂઆત કરવામાં આવી ત્યારે આ વિશેષ ક્વોટા હેઠળ લગભગ 5,000 બેઠકો અનામત હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સરકારે તેને નાબૂદ કરી દીધી છે. પીએમનું માનવું હતું કે જો આપણે વીઆઈપી કલ્ચરને સંપૂર્ણ રીતે ખતમ કરવું હોય તો કોઈપણ વિભાગમાં આવા વિશેષ વર્ગીકરણને નાબૂદ કરવું જોઈએ. તેમણે વડાપ્રધાનના સંકલ્પને પુનરોચ્ચાર કરતા કહ્યું કે ભવિષ્યમાં ગરીબોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એક વ્યાપક હજ નીતિ જાહેર કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

26 જૂનથી હજ યાત્રા શરૂ થશે

26 જૂન 2023થી હજયાત્રા શરૂ થવાની ધારણા છે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનું એક છે, જે તમામ સક્ષમ મુસ્લિમોએ ઓછામાં ઓછું એક વાર કરવું જરૂરી છે. 2019 માં, કોરોના મહામારીના કારણે વિશ્વવ્યાપી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે પહેલાં, લગભગ 2.6 મિલિયન લોકોએ હજયાત્રા કરી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">