ગોવાના દરિયામાં તુટી પડ્યુ MiG-29K ફાઈટર પ્લેન, પાઈલટને બચાવી લેવાયો
જુલાઈ 2016 માં, ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ આરોપ લગાવ્યો હતો કે ભારતનું MiG-29K તેની એરફ્રેમ, RD Mk-33 એન્જિન અને ફ્લાય-બાય-વાયર સિસ્ટમ સંબંધિત સમસ્યાઓથી ઘેરાયેલું હતું.
ગોવાના દરિયાકિનારે (sea coast of Goa) નિયમિત ઉડાન દરમિયાન મિગ-29કે (MiG-29K) ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર ટેકનિકલ ખામીના કારણે તે દરિયામાં તૂટી પડ્યું હતું. ભારતીય નૌસેનાએ (Indian Navy) કહ્યું કે પાયલટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ MiG-29K ફાઈટર પ્લેન ક્રેશ થયા અંગેના કારણની તપાસ કરવા માટે બોર્ડ ઓફ ઈન્કવાયરી (BOI)ને આદેશ આપવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા MiG-29K ફાઈટર પ્લેન ક્રેશ થવાની માહિતી સામે આવી છે. આ પ્લેન નિયમિત ફ્લાઇટનો ભાગ હતું. પાયલોટ MiG-29Kને લઈને સમુદ્ર ઉપરથી પસાર થઈ રહ્યા હતા, તે જ સમયે ટેક્નિકલ ભૂલના કારણે પ્લેન ત્યાં જ ક્રેશ થઈ ગયું. જોકે, આમાં પાયલટનો જીવ બચી ગયો છે. પ્લેન ક્રેશને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
A MiG 29K fighter aircraft crashed over sea on a routine sortie off Goa coast after it developed a technical malfunction while returning to base. Pilot ejected safely & was recovered in a swift search & rescue operation. Pilot is reported to be in a stable condition: #IndianNavy
— Tv9 Gujarati (@tv9gujarati) October 12, 2022
2016માં CAGના રિપોર્ટમાં આ ખામીઓ સામે આવી હતી
ભારતે 2004 અને 2010માં બે ઓર્ડરમાં રશિયા પાસેથી કુલ 45 MiG-29K ખરીદ્યા હતા. આ પ્લેનનું નામ આમાંના કોઈપણ MiG-29K અકસ્માતનો ભોગ બને તે પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે 23 જૂન 2011ના રોજ એક રશિયન મિગ-29K ટ્રેનર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટ માર્યા ગયા હતા. આ પછી જ વિમાનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પછી, જુલાઈ 2016 માં, ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ આરોપ લગાવ્યો હતો કે ભારતનું MiG-29K તેની એરફ્રેમ, RD Mk-33 એન્જિન અને ફ્લાય-બાય-વાયર સિસ્ટમ સંબંધિત સમસ્યાઓથી ઘેરાયેલું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ વિમાનોની સેવાક્ષમતા ઘણી ઓછી છે. તે 15.93 ટકાથી 37.63 ટકા અને MiG-29K UBની સેવાક્ષમતા 21.30 ટકાથી 47.14 ટકા સુધીની છે.
તવાંગમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં સવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સેનાના લેફ્ટનન્ટ કર્નલ શહીદ થયા હતા, જ્યારે કો-પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પછી, બધાની નજર ફરી એક વખત અપ્રચલિત ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરના કાફલા પર હતી, જેમાં આધુનિક સાધનોનો અભાવ છે અને તેને બદલવાની સખત જરૂર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા પાયલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ છે. તેણે જણાવ્યું કે ઘાયલ કો-પાયલટ મેજર છે અને તેને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.