AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી ત્રણ નવા ક્રિમિનલ કાયદા લાગુ, જાણો 10 મુદ્દામાં શું આવ્યો બદલાવ

New Criminal Laws : આજથી ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ દેશમાં અમલમાં આવ્યા છે. ચાલો જાણીએ કે આ કાયદાઓના અમલીકરણ સાથે ક્યા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે ?

આજથી ત્રણ નવા ક્રિમિનલ કાયદા લાગુ, જાણો 10 મુદ્દામાં શું આવ્યો બદલાવ
New criminal laws
| Updated on: Jul 01, 2024 | 8:50 AM
Share

New Criminal Laws : સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. આ ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં ઘણા ફેરફારોની અપેક્ષા છે. આ સાથે વસાહતી યુગના ત્રણ જૂના કાયદાનો અંત આવ્યો છે. સોમવારથી ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે.

વિડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ

નવો કાયદો આધુનિક ન્યાય વ્યવસ્થાને સુનિશ્ચિત કરશે. તેમાં શૂન્ય એફઆઈઆર, એસએમએસ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ, પોલીસ ફરિયાદોની ઓનલાઈન નોંધણી અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુનાના દ્રશ્યોની ફરજિયાત વિડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. ઓફિશિયલી સૂત્રોનું કહેવું છે કે બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને ધ્યાનમાં રાખીને વર્તમાન સામાજિક વાસ્તવિકતાઓ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે એક મિકેનિઝમ પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

10 મુખ્ય મુદ્દાઓ જાણો, જેમાં ફેરફારો થયા

  1. ફોજદારી કેસમાં ચુકાદો સુનાવણીના નિષ્કર્ષના 45 દિવસની અંદર જાહેર કરવો આવશ્યક છે. પ્રથમ સુનાવણીના 60 દિવસની અંદર આરોપો ઘડવાની જોગવાઈ છે. તમામ રાજ્ય સરકારોએ સાક્ષીઓની સુરક્ષા અને સહકાર સુનિશ્ચિત કરવા માટે સાક્ષી સુરક્ષા યોજનાઓ લાગુ કરવી જોઈએ.
  2. રેપ થયેલા પીડિતાના વાલી અથવા સંબંધીની હાજરીમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા નિવેદનો નોંધવામાં આવશે. મેડિકલ રિપોર્ટ સાત દિવસમાં પૂરો કરવાનો રહેશે.
  3. નવા કાયદામાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ અંગે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. બાળક ખરીદવું કે વેચવું એ જઘન્ય અપરાધ માનવામાં આવે છે, જેના માટે આકરી સજાની જોગવાઈ છે. સગીર પર સામૂહિક બળાત્કાર કરનારને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.
  4. કાયદામાં હવે એવા કિસ્સાઓ માટે સજાની જોગવાઈ છે કે જ્યાં લગ્નના ખોટા વચનો આપીને મહિલાઓને છોડી દેવામાં આવે છે.
  5. 90 દિવસની અંદર નિયમિત અપડેટ મેળવવું અને મહિલાઓ સામેના ગુનાનો ભોગ બનેલી વ્યક્તિઓને મફત પ્રાથમિક સારવાર અથવા તબીબી સારવાર પ્રદાન કરવી જરૂરી છે.
  6. આરોપી અને પીડિતા બંનેને 14 દિવસની અંદર FIR, પોલીસ રિપોર્ટ, ચાર્જશીટ, નિવેદન, કબૂલાત અને અન્ય ડોક્યુમેન્ટ્સની નકલો મેળવવાનો અધિકાર છે.
  7. હવે ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન દ્વારા ઘટનાઓની જાણ કરી શકાશે, પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત દૂર થશે. ઝીરો એફઆઈઆરની રજૂઆત સાથે વ્યક્તિ તેના અધિકારક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકે છે.
  8. ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની પસંદગીની વ્યક્તિને તેની પરિસ્થિતિ વિશે જાણ કરવાનો અધિકાર છે. જેથી તેને તાત્કાલિક સહાય મળી શકે. ધરપકડની વિગતો પોલીસ સ્ટેશનો અને જિલ્લા મુખ્યાલયોમાં સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવશે, જેથી પરિવાર અને મિત્રો તેને સરળતાથી જોઈ શકે.
  9. હવે ગંભીર ગુનાઓ માટે ફોરેન્સિક નિષ્ણાતોએ ગુનાના સ્થળની મુલાકાત લેવી અને પુરાવા એકત્રિત કરવા ફરજિયાત છે.
  10. “લિંગ” ની વ્યાખ્યામાં હવે ટ્રાન્સજેન્ડર લોકોનો સમાવેશ થાય છે, જે સમાનતાને પ્રોત્સાહન આપે છે. મહિલાઓ વિરુદ્ધના અમુક ગુનાઓ માટે શક્ય હોય ત્યાં સુધી મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા પીડિતાનું નિવેદન નોંધવું જોઈએ. જો ઉપલબ્ધ ન હોય તો પુરુષ મેજિસ્ટ્રેટે મહિલાની હાજરીમાં નિવેદન નોંધવું જોઈએ. રેપ સંબંધિત નિવેદનો ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા રેકોર્ડ કરવા જોઈએ. જેથી પારદર્શિતા સુનિશ્ચિત થાય અને પીડિતાને રક્ષણ મળે.

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">