મેક્સિકોના વિદેશ મંત્રી બે દિવસ ભારતની મુલાકાતે, આ મહત્વના મુદ્દા પર થઈ શકે છે ચર્ચા
મેક્સીકન વિદેશ મંત્રી વિદેશ મંત્રી એસ જયશંકરના આમંત્રણ પર બે દિવસીય (30 માર્ચથી 1 એપ્રિલ) ભારતની સત્તાવાર મુલાકાતે છે.
મેક્સિકોના (Mexico) વિદેશ પ્રધાન માર્સેલો એબ્રાર્ડ કાસૌબોન (Marcelo Ebrard Casaubon)બુધવારે ભારત આવી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારત દેશની તેમની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ અંગે વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, “મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડ કાસાબોનનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર આનંદ થાય છે. દ્વિપક્ષીય સંબધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.”
Mexican Foreign Minister Marcelo Ebrard Casaubon arrives in India
Read @ANI Story | https://t.co/jD4A43d2Z3 #MexicanForeignMinister #MarceloEbrardCasaubon pic.twitter.com/HgPWHx0pCs
— ANI Digital (@ani_digital) March 30, 2022
ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર
મેક્સિકન વિદેશ મંત્રી વિદેશ મંત્રી એસ જયશંકરના આમંત્રણ પર બે દિવસીય (30 માર્ચથી 1 એપ્રિલ) ભારતની સત્તાવાર મુલાકાતે છે.મળતી માહિતી મુજબ મેક્સિકન વિદેશ મંત્રી મુંબઈ પણ જશે. જયશંકર અને કાસાબોન બંને દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.ઉલ્લેખનીય છે કે, મેક્સિકોના વિદેશ પ્રધાનની મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જયશંકરની મેક્સિકો સિટીની મુલાકાત બાદ છે. મુલાકાતોનું આ વિનિમય ભારત અને મેક્સિકો વચ્ચે વિશેષાધિકૃત ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.હાલમાં મેક્સિકો લેટિન અમેરિકામાં ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.
એસ જયશંકર ગયા વર્ષે મેક્સિકો ગયા હતા
વિદેશ મંત્રી એસ જયશંકર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ દિવસની મુલાકાતે મેક્સિકો ગયા હતા. તેમની મુલાકાતનો હેતુ વેપાર અને રોકાણ તેમજ અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. વિદેશ મંત્રી તરીકે જયશંકરની મેક્સિકોની આ પ્રથમ મુલાકાત હતી.મેક્સિકો જતા પહેલા જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં અનેક દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી.
આ સાથે તેમણે વેનેઝુએલા અને નિકારાગુઆના વિદેશ પ્રધાનો ઉપરાંત ઇથોપિયાના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન મેકોનેન હસન સાથે પણ ચર્ચા કરી હતી. તે દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્કમાં નેપાળના સમકક્ષ ડૉ. નારાયણ ખડકાને મળ્યા હતા અને વિશેષ સંબંધોને આગળ વધારવા માટે સંમત થયા હતા. તમને જણાવી દઈએ કે, મેક્સિકોની સ્વતંત્રતાના એકત્રીકરણની 200મી વર્ષગાંઠ નિમિતે વિદેશ મંત્રી એસ જયશંકરે અન્ય વિશ્વ નેતાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો : વોશિંગ્ટનમાં ભારત-યુએસ 2+2 મંત્રણા યોજાશે, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ જયશંકર ભાગ લેશે