AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Karidhal Family Tree : ‘ભારતની રોકેટ વુમન’ના એક ઈશારે લોન્ચ થશે Chandrayaan 3 , જાણો તેમના પરિવાર વિશે

ISRO Chandrayaan 3 Mission LVM3-M4 Launch: ઈસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 (Chandrayaan 3)ના મિશન ડાયરેક્ટર રિતુ કરીધલ છે, તે પહેલા તે ચંદ્રયાન-2 મિશન સહિત ઘણા મોટા અંતરિક્ષ મિશનનો ભાગ રહી ચૂકી છે.

Ritu Karidhal Family Tree : 'ભારતની રોકેટ વુમન'ના એક ઈશારે લોન્ચ થશે Chandrayaan 3 , જાણો તેમના પરિવાર વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 2:19 PM
Share

ISRO Chandrayaan 3 Mission Launch: : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો આજે એટલે કે, 14મી જુલાઈએ તેનું મહત્વકાંક્ષી ચંદ્રયાન મિશન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે, જે 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. ચંદ્રયાનને ચંદ્ર પર ઉતારવાના આ મિશનની જવાબદારી રિતુ કરીધલ સંભાળી રહી છે.

આ પણ વાંચો : ઈસરોએ Chandrayaan 3 ફિલ્મ RRRના બજેટમાં બનાવ્યું, જાણો તમે ક્યારે અને ક્યાં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની રિતુ કરીધલને ભારતની રોકેટ વુમન તરીકે ઓળખવામાં આવે છે, અવકાશ ક્ષેત્રે કામ કરવાના લાંબા અનુભવને જોતા ઈસરોએ રિતુને ચંદ્રયાન-3ના મિશન ડાયરેક્ટર બનાવ્યા છે. આ પહેલા તે ચંદ્રયાન-2 સહિત ઘણા મોટા અંતરિક્ષ મિશનનો હિસ્સો રહી ચૂકી છે, ખાસ વાત એ છે કે, રિતુ કરીધલ એવા વૈજ્ઞાનિકોમાંથી એક છે જેમને ઈસરોનો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળી ચૂક્યો છે.

Meet the Chandrayan 3 Rocket Women of India Ritu Karidhal Family Tree

રિતુ કરીધલ લખનૌની દિકરી

રિતુ કરીધલ મૂળ લખનૌની છે, તેનું નિવાસસ્થાન રાજાજીપુરમમાં છે. રિતુએ તેનું પ્રારંભિક શિક્ષણ લખનૌની સેન્ટ એગ્નીસ સ્કૂલમાં કર્યું હતું. આ પછી તેણે નવયુગ કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો. લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યા પછી, રિતુ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરવા માટે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાં ગઈ.

મંગલયાન મિશનમાં મહત્વની ભૂમિકા રહી

રિતુ કરીધલને પહેલી પોસ્ટિંગ યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરમાં મળી હતી. અહિ તેના કામે સૌને પ્રભાવિત કર્યા હતા. 2007માં તેને ઈસરોના સૌથી યંગેસ્ટ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો.

આવી રીતે મળી ચંદ્રયાન-3ની જવાબદારી

રિતુ કરીધલ ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર હતી. તેના અનુભવને જોતા 2020માં જ ઈસરોએ નક્કી કર્યું હતું કે, ચંદ્રયાન 3 મિશન પણ રિતુના હાથમાં હશે. આ મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરામુથુવેલ છે.

આ પણ વાંચો : Knowledge : છેલ્લા 50 વર્ષોથી કેમ ચંદ્ર પર કોઈ માણસ નથી મૂકી શક્યું પગ ? જાણો કારણ

પરિવારને આપે છે સફળતા શ્રેય

રિતુ કરીધલના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે, તેનો ભાઈ લખનૌના રાજાજીપુરમમાં રહે છે. રિતુના લગ્ન અવિનાશ શ્રીવાસ્તવ સાથે થયા છે, જેઓ બેંગ્લોરમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે, તેમને બે બાળકો છે, પુત્ર આદિત્ય અને પુત્રી અનીશા. તેની સફળતાનો શ્રેય તેના પરિવારને આપે છે, એક મુલાકાતમાં રિતુએ કહ્યું હતું કે તેનો પરિવાર સમજે છે કે તેના માટે મિશન કેટલા મહત્વપૂર્ણ છે. તે મને દરેક રીતે મદદ કરે છે, મારે તેની ચિંતા કરવાની જરૂર નથી.

મહિલાઓ વિજ્ઞાનમાં નામ રોશન કરી શકે છે

ડો.રિતુ કહે છે કે મહિલાઓ માટે સ્પેસ સાયન્સ ખૂબ જ સારો કરિયર વિકલ્પ છે. મહિલાઓએ આ ક્ષેત્રમાં કામ કરીને પોતાનું નામ રોશન કરવું જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">