NEET PG કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે, હડતાળ સમેટવા મનસુખ માંડવિયાની રેસિડન્ટ ડોકટરોને અપીલ
તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવાની માંગ સાથે રેસિડેન્ટ ડોકટરો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રેસિડન્ટ ડૉક્ટરો સાથે બેઠક કરી હતી. કોરોનાકાળને ધ્યાનમાં રાખીને તેમની હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh mandaviya) મંગળવારે રેસિડન્ટ ડૉક્ટરો (Resident Doctors) સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડતર હોવાથી, અમે કાઉન્સેલિંગ કરી શકતા નથી. NEET PG કાઉન્સેલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીન છે. જેની સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ થશે. મને આશા છે કે NEET PG કાઉન્સેલિંગ (NEET PG Counseling) ટૂંક સમયમાં શરૂ થશે. તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવા માટે રેસિડેન્ટ ડોકટરો (Resident Doctors) ઘણા દિવસોથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ (Union Health Minister) કહ્યું, ‘કોર્ટમાં 6 જાન્યુઆરીએ સુનાવણી થાય તે પહેલા અમે ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપીશું. ગઈકાલે જ્યારે રેસિડન્ટ ડૉક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથેના ગેરવર્તણૂક માટે હું દીલગીર છું. હું આશા રાખું છું કે તમામ ડોકટરો તેમની ફરજમાં જોડાય, જેથી કરીને આપણા દેશના નાગરિકો અને દર્દીઓ કોવિડના સંકટમાં હેરાન પરેશાન ન થાય.
દિલ્હીના રેસિડન્ટ ડોકટરો તેમની માંગણીઓ માટે સફદરજંગ હોસ્પિટલમાં (Safdarjung Hospital) વિરોધ કરી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને અસુવિધા થઈ રહી છે. એક વ્યક્તિએ કહ્યું, “અમે અમારી માતાને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા, પરંતુ ધરણાને કારણે અમને એઈમ્સમાં જવા માટે કહેવામાં આવ્યું છે.”
#WATCH| I held a meeting with all resident doctors. We’re not able to do the counselling because the matter is sub-judice before Supreme Court. The hearing will take place on Jan 6. I hope that NEET PG counselling will start soon: Union Health Minister Dr Mansukh Mandaviya pic.twitter.com/LixcUWWHcx
— ANI (@ANI) December 28, 2021
આ પણ વાંચોઃ
19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો
આ પણ વાંચોઃ