19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો

જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણી એલિઝાબેથ દ્વિતીયને હત્યાની ધમકી આપતા એક શીખ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો
Sikh youth allegedly wanting to kill Queen Elizabeth to avenge Jallianwala Bagh, nabbed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:06 PM

મહારાની એલિઝાબેથ દ્વિતીયની (Queen Elizabeth II) હત્યા કરવા માંગતા એક ભારતીય શીખ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ યુવક ક્વિનની હત્યા કરીને 1919 માં થયેલા જલિયાંવાલા બાગ (Jallianwala Bagh) હત્યાકાંડનો બદલો લેવા માંગતો હતો. હાલમાં આ વ્યક્તિ પર માનસિક સ્વાસ્થ્ય કાયદાઓની ધારાઓ લગાડવામાં આવી છે અને યુવકને ચિકિત્સકોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

તીર-કમાન સાથે કરાઇ ધરપકડ

પોતાની જાતને જસવંત સિંહ ચૈલ જણાવતો આ યુવક ક્રિસમસના દિવસે વિંડસલ મહેલમાં તીર-કમાન લઇને ક્વિનને મારવા પહોંચ્યો હતો. જો કે સ્કૉટલેન્ડ યાર્ડની પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વીડિયો બનાવી કર્યો હતો વાયરલ

સ્નેપશોટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક માસ્ક પહેરેલો ભારતીય શીખ વ્યક્તિ જસવંત સિંહ ચૈલ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘હું દુઃખી છું, મેં જે કર્યું છે અને હું જે કરીશ એના માટે, હું શાહી પરિવારની રાણી એલિઝાબેથની હત્યા કરવાનો પ્રયાસ કરીશ.

1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકો માટે આ બદલો હશે. આ એ લોકો માટે બદલો હશે જેઓ તેમની જાતિના કારણે માર્યા ગયા, અપમાનિત થયા અથવા તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યા છે. હું ભારતીય શીખ છું. મારું નામ જસવંત સિંહ ચૈલ છે, મારું નામ ડાર્થ જોન્સ છે.

હજારો નિર્દોષોની હત્યા કરવામાં આવી હતી

આ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 માં અમૃતસરના જલિયાવાલા બાગમાં થયો હતો, જનરલ ડાયરના આદેશ પર, બ્રિટિશ સૈનિકોએ શાંતિપૂર્ણ સ્વતંત્રતા માટે પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી.

આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો –

દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

આ પણ વાંચો –

GANDHINAGAR : 15થી 18 વર્ષના કિશોરો માટે રસીનો પર્યાપ્ત જથ્થો, બાળકોને કોવેક્સિન અપાશેઃ મનોજ અગ્રવાલ

આ પણ વાંચો –

Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">