Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President Election: વિપક્ષને તાકાત બતાવવા માટે મમતા બેનર્જીએ ‘મહામુલાકાત’ની કરી જાહેરાત, પૂર્વ વડાપ્રધાન અને 8 મુખ્યમંત્રીઓ સહિત 22 દિગ્ગજોને લખ્યો પત્ર

કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની (President) ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ પછી રાજકીય પક્ષો તરફથી ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચૂંટણીના બહાને ત્રીજા મોરચાની રચના કરવાની કવાયત શરૂ કરી છે.

President Election: વિપક્ષને તાકાત બતાવવા માટે મમતા બેનર્જીએ 'મહામુલાકાત'ની કરી જાહેરાત, પૂર્વ વડાપ્રધાન અને 8 મુખ્યમંત્રીઓ સહિત 22 દિગ્ગજોને લખ્યો પત્ર
Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 6:27 PM

દેશમાં નવા રાષ્ટ્રપતિની (President) પસંદગીને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગયા દિવસોમાં કેન્દ્રીય ચૂંટણી પંચે (Central Election Commission) રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ટીએમસી ચીફ મમતા બેનર્જી સૌથી આગળ નિકળતા જોવા મળી રહ્યા છે. આ સમયે મમતા બેનર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએ સામે નેતૃત્વ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. મમતા બેનર્જી વિપક્ષી પક્ષને તાકાત બતાવવા માટે ‘મહામુલાકાત’ની જાહેરાત કરી છે. આ માટે તેમણે પૂર્વ વડાપ્રધાન અને 8 મુખ્યમંત્રીઓ સહિત 22 દિગ્ગજોને કોલ મોકલ્યા છે.

15મી જૂને મહામુલાકાત

રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન સામે એકતા બતાવા માટે ટીએમસીના વડા મમતા બેનર્જીએ પણ આ દિવસ નક્કી કર્યો છે. જે હેઠળ મમતા બેનર્જીએ આ મહામુલાકાતની તારીખ 15 જૂન નક્કી કરી છે. તેણે તેના પત્રમાં, રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભૂતપૂર્વ વડાપ્રધાનો, આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 22 રાજનેતાઓને 15 જૂને બપોરે 3 વાગ્યે નવી દિલ્હી કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી સંયુક્ત બેઠકમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

પત્ર લખીને તેમણે આમંત્રણ આપ્યું

ટીએમસી વડા મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએ ગઠબંધન સામે એકતા બતાવવા આમંત્રણ આપ્યું છે. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવગૌડાના નામ સામેલ છે. તેવી જ રીતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મમતા બેનર્જીએ સંયુક્ત બેઠક માટે આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રીઓની યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી કલવકુંતલા ચંદ્રશેખર રાવ, તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ એમકે સ્ટાલિન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માનનું નામ સામેલ છે. તમામ મુખ્યમંત્રીઓને અલગ-અલગ પત્ર લખીને સંયુક્ત બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આ અગ્રણી રાજનેતાઓના નામ પણ સામેલ

મુખ્યમંત્રીઓની સાથે ટીએમસી મમતા બેનર્જીએ ભાજપના તમામ વિપક્ષી દળોને એક કરવાની કોશિશ કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાની બેઠક માટે, મમતા બેનર્જીએ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, સીપીઆઈના મહાસચિવ ડી રાજા, સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, આરએલડી પ્રમુખ જયંત ચૌધરી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, જેકેએનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, અકાલી દળના અધ્યક્ષ એસ સુખબીર સિંહ બાદલ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ પવન ચામલિંગ અને આઈયુએમએલના પ્રમુખ કેએમ કાદર મોહિદ્દીનને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">