Kerala: નદીમાં 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી, અત્યાર સુધીમાં 21ના મોત, PMએ કરી સહાયની જાહેરાત
પુરાપુઝા નદી પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Breaking News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિજાપુરમાં રેડ, 758 કિલો કલર વાળું મરચુ ઝડપાયુ
મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
#UPDATE | Malappuram boat accident: So far, we have recovered 21 dead bodies. We don’t know the exact number of people on the boat, so we are continuing the search to find out whether there are more victims trapped in the mud or not: Shiju KK, Regional Fire Range Officer https://t.co/sxxQJfxmDu pic.twitter.com/swmIOoQ4Bt
— ANI (@ANI) May 7, 2023
કેરળના મંત્રી વી અબ્દુરહીમાને 21 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર, બોટ ખીચોખીચ ભરેલી હતી અને બોટમાં લાઈફ સેવિંગના સાધનો હાજર નહોતા. આ સ્થળ દરિયા કિનારે આવેલું છે.
#WATCH | Kerala: Rescue operation underway after a tourist boat capsized near Tanur in Malappuram district.
So far, death toll in the incident stands at 18. https://t.co/SXfTZcZyi7 pic.twitter.com/sxvwiAFpV9
— ANI (@ANI) May 7, 2023
દુર્ઘટના થઈ ત્યારે બોટ કિનારાથી લગભગ 300 મીટર દૂર હતી. મળતી માહિતી મુજબ, બોટમાં સવાર લોકો મલપ્પુરમના પરપ્પનંગડી અને તનુર વિસ્તારથી આવ્યા હતા. અહીં પેસેન્જર બોટને સાંજે 5 વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ છે.
મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…