Kerala: નદીમાં 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી, અત્યાર સુધીમાં 21ના મોત, PMએ કરી સહાયની જાહેરાત

પુરાપુઝા નદી પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે.

Kerala: નદીમાં 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી, અત્યાર સુધીમાં 21ના મોત, PMએ કરી સહાયની જાહેરાત
Malappuram boat accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 7:06 AM

કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Breaking News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિજાપુરમાં રેડ, 758 કિલો કલર વાળું મરચુ ઝડપાયુ

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કેરળના મંત્રી વી અબ્દુરહીમાને 21 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર, બોટ ખીચોખીચ ભરેલી હતી અને બોટમાં લાઈફ સેવિંગના સાધનો હાજર નહોતા. આ સ્થળ દરિયા કિનારે આવેલું છે.

દુર્ઘટના થઈ ત્યારે બોટ કિનારાથી લગભગ 300 મીટર દૂર હતી. મળતી માહિતી મુજબ, બોટમાં સવાર લોકો મલપ્પુરમના પરપ્પનંગડી અને તનુર વિસ્તારથી આવ્યા હતા. અહીં પેસેન્જર બોટને સાંજે 5 વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ છે.

મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">