Breaking News: મધ્યપ્રદેશના ઇન્દોરમાં મોટી દુર્ઘટના, બેલેશ્વર મહાદેવ જૂલેલાલ મંદિરની છત ધરાશાય, 25 કરતા વધારે લોકો ઘાયલ

Breaking News: મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ. અહીં એક મંદિરમાં, કૂવા ઉપરની છત અંદર ખાબકી ગઈ છે. જેના કારણે ઘણા લોકો કુવામાં પડ્યા હતા. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Breaking News: મધ્યપ્રદેશના ઇન્દોરમાં મોટી દુર્ઘટના, બેલેશ્વર મહાદેવ જૂલેલાલ મંદિરની છત ધરાશાય, 25 કરતા વધારે લોકો ઘાયલ
Madhya Pradesh Indore
Follow Us:
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:35 PM

Breaking News: મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ, અહીં સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની છત તુટી પડી હતી. જેના કારણે અનેક લોકો વાવમાં પડી ગયા હતા. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ. અહીં એક મંદિરમાં, કૂવા ઉપરની છત અંદર ખાબકી ગઈ છે. જેના કારણે ઘણા લોકો કુવામાં પડ્યા હતા. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં બની હતી. અહી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં કુવા ઉપરની છત ધરાશાય થઈ હતી. જેના કારણે તેના પર હાજર લોકો કૂવામાં પડી ગયા હતા.

રેસ્ક્યુ ટીમ સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત

ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ કહ્યું કે સંખ્યા વિશે જણાવવું મુશ્કેલ છે. 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લોકોને દોરડા લગાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમના લોકો કૂવામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિર પહોંચ્યા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિર પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં એક પગથિયું હતું, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન, 20-25 લોકો પગથિયાંની છત પર ઉભા હતા, જ્યારે છત ઉડી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો કૂવામાં પડી ગયા હતા. આ વાવ 50 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે.

જિલ્લા પ્રશાસને શરૂ કરી દીધું છે બચાવ કાર્ય

જિલ્લા પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જોકે, કૂવામાં પાણી છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. લોકોને મંદિરની નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : જલગાંવમાં બે જૂથ વચ્ચે અથડામણ, મસ્જિદની બહાર સંગીત વગાડવાને લઈ થઈ બબાલ

ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ કહ્યું કે, સંખ્યા વિશે જણાવવું મુશ્કેલ છે. 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">