Breaking News: બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત, હાર્ટ એટેક આવતા થયો હતો બેહોશ
જેલમાં બેભાન થયા બાદ મુખ્તાર અંસારીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 9 ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.
યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેને ગુરુવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર માટે આઈસીયુમાં ભર્તી કરવામાં આવ્યો હતો. આ સારવાર દરમિયાન જ મુખ્તાર અંસારીને બીજો હાર્ટ એટેક આવી જતા તેનુ મોત થયુ છે.
બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારીનું મૃત્યુ થયું છે. મુખ્તારને જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને પહેલા ICU અને પછી CCUમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મોતના સમાચાર બાદ મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જેલમાં બેહોશ થયા બાદ મુખ્તાર અંસારીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. 9 ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.
તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીને રાત્રે લગભગ 9 વાગે હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયો હતો. આ પછી, તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. આ સમાચાર આવ્યા બાદ મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા માટે રવાના થઈ ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાંદા જેલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મુખ્તાર અંસારીના વકીલ રણધીર સિંહે tv 9 સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે કોઈને પણ મુખ્તાર અંસારીને મળવા દેવાયા નથી.
આ પહેલા મંગળવારે તેને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતા. તેને સ્ટૂલ સિસ્ટમમાં સમસ્યા હતી. તેમને 14 કલાક આઈસીયુમાં રાખાયા હતા જે બાદ રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મુખ્તારે કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્ટી અને બેભાન અવસ્થામાં દાખલ કરાયા હતા
મુખ્તાર અંસારીના મૃત્યુ અંગે મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. મેડિકલ બુલેટિન અનુસાર, મુખ્તાર અંસારીને રાત્રે 8.25 વાગ્યે રાની દુર્ગાવતી મેડિકલ કોલેજ બાંદામાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 ડોક્ટરોની ટીમ સારવારમાં લાગી હતી પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા
મુખ્તાર અંસારીના મોતની માહિતી મળતા જ બાંદાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર મેડિકલ કોલેજને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ મહિનાની 26 તારીખે લગભગ 3.55 વાગ્યે મુખ્તારને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા જ મુખ્તારના પરિવારના સભ્યો બાંદા પહોંચવા લાગ્યા. તમને જણાવી દઈએ કે મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી અને પુત્ર ઉમર અંસારી બાંદા પહોંચી ગયા હતા પરંતુ કોઈને પણ મુખ્તારને મળવા દેવાયા નહોતા.
મુખ્તાર અંસારી વિરુદ્ધ હત્યા સહિતના નોંધાયા હતા 61 કેસ
મુખ્તાર અંસારીના મોત બાદ રાજ્યભરની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગેંગસ્ટર મુખ્તાર અંસારી વિરુદ્ધ 61 કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેતરપિંડી, ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેંગસ્ટર એક્ટ, CLA એક્ટ અને NSAનો સમાવેશ થાય છે. જેમાંથી 8 કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
મુખ્તારને અનેક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે તે વર્ષો સુધી જેલમાં રહ્યો હતો. મુખ્તારનું નામ આવા જ એક કેસમાં છે, જેણે મુલાયમ સરકારને પણ હચમચાવી દીધી હતી. તેના પ્રભાવને કારણે તેમણે બહુચર્ચિત કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ પર એવું દબાણ કર્યું હતું કે સરકારે જ કેસ રદ કરી દીધો હતો. આટલું જ નહીં, જે પોલીસ અધિકારીએ મુખ્તાર પર એલએમજી ડીલ કરવાનો આરોપ લગાવ્યો હતો તેને વિભાગ છોડવાની ફરજ પાડી હતી.
આ પણ વાંચો: CJIને 600 વકીલોએ લખેલા પત્ર પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, ‘ડરાવવા ધમકાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ’