AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુનોમાં માતમ! ચિત્તાના ચારેય બચ્ચા મૃત્યુ પામ્યા, શિકારી હુમલાની આશંકા

કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં માદા ચિત્તા KGP12ના ચારેય નવજાત બચ્ચા મૃત મળી આવતા ચિંતા વ્યાપી છે. એક મહિનાના આ બચ્ચા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ હતા.

Breaking News : કુનોમાં માતમ! ચિત્તાના ચારેય બચ્ચા મૃત્યુ પામ્યા, શિકારી હુમલાની આશંકા
| Updated on: May 12, 2026 | 8:45 PM
Share

મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માદા ચિત્તા ‘KGP12’ના ચારેય નવજાત બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા છે. આ બચ્ચા માત્ર એક મહિનાના હતા અને પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત તેમની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી હતી. આ ઘટનાએ વન્યજીવન પ્રેમીઓ અને અધિકારીઓમાં ચિંતા ફેલાવી છે.

મૃતદેહો આંશિક રીતે ખાઈ ગયેલા હાલતમાં મળ્યા

મંગળવારે સવારે લગભગ 6:30 વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન ચિત્તા મોનિટરિંગ ટીમે શ્યોપુર ટેરિટોરિયલ ડિવિઝન વિસ્તારમાં આવેલી ગુફા નજીક બચ્ચાઓના મૃતદેહો જોયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહો આંશિક રીતે ખવાઇ ગયેલા હાલતમાં મળ્યા હતા. જેના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ જંગલી શિકારી પ્રાણીએ બચ્ચાઓ પર હુમલો કર્યો હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં દીપડો, હાયના અથવા અન્ય કોઈ માંસાહારી પ્રાણીના હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.

બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા

વન વિભાગના રેકોર્ડ મુજબ, આ ચાર બચ્ચાઓનો જન્મ 11 એપ્રિલ 2026ના રોજ થયો હતો. 11 મેની સાંજ સુધી મોનિટરિંગ ટીમે બચ્ચાઓને સુરક્ષિત અને સ્વસ્થ હાલતમાં જોયા હતા, પરંતુ બીજા જ દિવસે સવારે તમામ બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા. આ અચાનક બનેલી ઘટનાએ વન વિભાગ અને વન્યજીવન નિષ્ણાતોને મૂંઝવણમાં મૂકી દીધા છે. જોકે, બચ્ચાઓની માતા KGP12 હાલ સુરક્ષિત અને સ્વસ્થ હોવાનું જણાવાયું છે. સેટેલાઇટ કોલર અને ગ્રાઉન્ડ સર્વેલન્સ દ્વારા તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

વન્યજીવન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જંગલમાં જન્મેલા ચિત્તાના બચ્ચાઓ માટે શરૂઆતના ત્રણ મહિના અત્યંત જોખમી હોય છે. આ સમય દરમિયાન તેઓ પોતાનો બચાવ કરી શકતા નથી અને દીપડા, હાયના જેવા શિકારી પ્રાણીઓનો સહેલો શિકાર બની જાય છે. કુદરતી પરિસ્થિતિઓમાં આવી ઘટનાઓ અસામાન્ય નથી, પરંતુ એકસાથે ચારેય બચ્ચાના મોતે પ્રોજેક્ટ ચિત્તાની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા છે.

સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ

ભારતમાં ચિત્તાઓને ફરી વસાવવા માટે શરૂ કરાયેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા. હાલમાં દેશમાં કુલ 53 ચિત્તા છે, જેમાંથી 50 કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને ત્રણ ગાંધી સાગર અભયારણ્યમાં રહે છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 33 ચિત્તાઓનો જન્મ ભારતમાં થયો છે, જેને પ્રોજેક્ટની મોટી સફળતા માનવામાં આવતી હતી. જોકે, KGP12ના ચાર બચ્ચાના મૃત્યુ બાદ હવે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલી છે.

તમિલનાડુમાં મંદિરો અને શાળાઓ પાસે દારૂ પર પ્રતિબંધ

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">