શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી, શિક્ષકોની અછતથી વાલીઓમાં રોષ
ડાંગના જામનપાડા ગામમાં વાલીઓએ શિક્ષકોની અછતને કારણે શાળા પ્રવેશોત્સવ વચ્ચે પ્રાથમિક શાળાને તાળાબંધી કરી. ધોરણ 1 થી 5 ના 11 વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. વાલીઓ તાત્કાલિક પૂરતા શિક્ષકોની નિમણૂકની માંગ કરી રહ્યા છે.
ડાંગ જિલ્લાના જામનપાડા ગામમાં શિક્ષકોની અછતના મુદ્દે વાલીઓએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે ધોરણ 1થી 5 સુધીના 11 વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના ભણતર પર અસર પડી રહી છે. ઉપરાંત શિક્ષકોની વારંવાર થતી બદલીને કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વાલીઓએ વહેલી તકે પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાની માંગ કરી છે.
બીજી તરફ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે હાલના શિક્ષકો નિયમિત રીતે શાળામાં હાજર રહે છે. તેમની મુજબ, આ શાળામાં બદલી પામેલા કાયમી શિક્ષકને અગાઉની શાળામાંથી હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી, જેના કારણે તેમણે ચાર્જ સંભાળ્યો નથી. શિક્ષણ વિભાગે ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
હવે અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી દ્વારકા જઈ શકશો, વંદે ભારત ટ્રેનના સમય, રૂટ અને સ્ટેશનમાં કરાયા મોટા ફેરફાર
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
