AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અતીક અને અશરફ જે પોલીસકર્મીની કસ્ટડીમાં હતા તેમની સામે પણ નોંધાશે હત્યાનો ગુનો ?

અતીક-અશરફ મર્ડરઃ પોલીસ કસ્ટડીમાં અશરફ અને અતીક અહેમદની હત્યા બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રાજ્ય પોલીસને હવે આ મામલે તપાસ કરવાનો અધિકાર છે ? હવે આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની સત્તા કોની પાસે છે ?

અતીક અને અશરફ જે પોલીસકર્મીની કસ્ટડીમાં હતા તેમની સામે પણ નોંધાશે હત્યાનો ગુનો ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 7:08 AM
Share

પ્રયાગરાજમાં શનિવારે રાત્રે પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા માફિયા ડોન અતીક અહેમદ અને અશરફના મામલામાં ઘણી કાયદાકીય ગૂંચવણો પણ સામે આવવા લાગી છે. આ સનસનાટીભર્યા ડબલ મર્ડરમાં સૌથી પહેલા તો તે પોલીસ ટીમ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમની કસ્ટડીમાં બંને આરોપી ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. સવાલ એ છે કે બંને પોલીસ કસ્ટડીમાં માર્યા ગયા, તો શું રાજ્ય પોલીસને આ મામલે તપાસ કરવાનો કોઈ અધિકાર છે ?

TV9 એ આ તમામ કાયદાકીય સમસ્યાઓ વિશે દેશના જાણીતા કાનૂની નિષ્ણાતો અને ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. બધાએ પોલીસ કસ્ટડીમાં થયેલી આ બેવડી હત્યાને, પોલીસ માટે મુસીબત ગણાવી હતી. નિષ્ણાંતોએ એમ પણ કહ્યું કે પોલીસ ટીમ પોતે જ શંકાના દાયરામાં હોવાથી રાજ્ય સરકારે પોતે જ આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવો જોઈએ. શક્ય છે કે બંને આરોપીઓને કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હોવાથી હવે સંબંધિત કોર્ટે જ અતીક અને અશરફની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ.

આ પણ વાંચોઃ Atiq-Ashraf Murder: 17 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સસ્પેન્ડ, પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ, CM બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી

નિર્ભયા કેસના દોષિત ગુનેગારોના વકીલ અને દેશના એક વરિષ્ઠ ક્રિમિનલ વકીલ ડૉ. એ.પી. સિંહે જણાવ્યું હતું કે, “પોલીસ કસ્ટડીમાં સીધા જ ડબલ મર્ડરનો કેસ છે. હવે રાજ્ય સરકાર હોય કે પોલીસ પોતાની રીતે કઈ નહી કરી શકે. કોર્ટે બંનેની કસ્ટડી પોલીસને સોંપી હતી. જો કોર્ટ ઇચ્છે તો પોલીસ પાસેથી સત્તાવાર રીતે ઘટનાની માહિતી મળતાની સાથે જ ન્યાયિક તપાસનો આદેશ આપી શકે છે.

“તે સંબંધિત કોર્ટનો કાનૂની અધિકાર છે. કારણ કે માર્યા ગયેલા અશરફ અને અતીક એક જ કોર્ટના આરોપી હતા. બીજું, રાજ્ય સરકાર ન્યાયિક તપાસ પણ કરાવી શકે છે. ત્રીજું, શક્ય છે કે રાજ્ય સરકારની પોલીસ જ શંકાના દાયરામાં ઊભી હોય. જેથી રાજ્ય સરકારે પોતે જ ડબલ મર્ડરની તપાસ સીબીઆઈને સોપે. જો રાજ્ય સરકાર સીબીઆઈને તપાસ ના સોંપે તો કેસની સુનાવણી કરી રહેલી કોર્ટ સીબીઆઈને તપાસ સોંપી શકે છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ક્રિમિનલ વકીલ વીકે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “આ કસ્ટડી ડેથમાં ડબલ મર્ડરનો કેસ છે. તપાસ ચાલુ રહેશે. હાલ તો હુમલાખોરોની સાથે સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ સામે પણ કેસ નોંધવો જોઈએ. સૌથી પહેલા તો આ કેસ પોલીસ વિભાગમાં જ નોંધવો જોઈએ. જો પોલીસ વિભાગ આવું ન કરે તો કોર્ટે અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તે કોર્ટ પોલીસ સુરક્ષા ટીમ સામે કેસ નોંધી શકે છે.”

“કેસની નોંધણીનો અર્થ એ નથી કે પોલીસકર્મીઓ પોતે જ આરોપી બની ગયા છે. પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવાથી એવું થશે કે કોઈ પણ તપાસને પ્રભાવિત કરી શકશે નહીં. તેથી પીડિત પક્ષ (હત્યા કરાયેલા અશરફ અને અતીકનો પરિવાર) કોર્ટમાં જશે કે આ ડબલ મર્ડર પોલીસની મિલીભગતથી થયું છે. ત્યારે જ કોર્ટમાં સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કરવાનો રહેશે.

બંને હાથકડી પહેરેલા હોવાથી. આવી સ્થિતિમાં હુમલાખોરોની સાથે પોલીસની ટીમ ઉપર પણ હત્યાનો કેસ ચલાવી શકાય કે કેમ, અતીક અને અશરફ કોની કસ્ટડીમાં માર્યા ગયા ? દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ ક્રિમિનલ લોયર લક્ષ્મી નારાયણ રાવે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “તે ખૂબ જ જટિલ કેસ બની ગયો છે. અત્યારે કંઈપણ કહેવું બહુ વહેલું છે. હા, કાયદાની દૃષ્ટિએ જોવામાં આવે તો હુમલાખોરોની સાથે સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ સામે પણ હત્યાના કાવતરામાં સંડોવણી બદલ કાર્યવાહી થઈ શકે.

અતીક અહેમદને લગતા અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

TV9 ના એક પ્રશ્નના જવાબમાં, દિલ્હી હાઈકોર્ટના ફોજદારી વકીલ એલએન રાવે કહ્યું, “થવું તો એ જોઈએ કે ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપવો જોઈએ. તપાસ પણ સીબીઆઈને સોંપવી જોઈએ. પોલીસની ટીમ સુરક્ષામાં લાગેલી છે. તેમાંથી પ્રાથમિક તપાસમાં જે પોલીસકર્મીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી, તેઓને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા જોઈએ. જેથી તેઓ અતીક અને અશરફ ડબલ મર્ડરની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરે. જ્યારે તપાસ પૂરી થઈ જાય અને તેમાં પોલીસકર્મીઓની ભૂમિકા શંકાસ્પદ સાબિત થાય તો આરોપી પોલીસકર્મીઓ સામે ગમે તે કાયદાકીય પગલાં લેવામાં આવે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">