મોદી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ, MSME અને ખેડૂતો માટે જાહેરાત
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આજે કેબિનેટમાં ખેડૂતો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે MSME ઉદ્યોગ સંકટમાં છે, તેમને ઈક્વિટી પ્રદાન કરતા 20,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોના […]
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આજે કેબિનેટમાં ખેડૂતો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે MSME ઉદ્યોગ સંકટમાં છે, તેમને ઈક્વિટી પ્રદાન કરતા 20,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોના લાભ માટે લઘુતમ ટેકાના ભાવ જાહેર કર્યા છે. તેમને કિંમતના 50 થી 83 ટકા વધુ મૂલ્ય મળશે. CACP હેઠળ 14 પાકોને વિશેષ છૂટ આપવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતોને વ્યાજમાં છૂટ મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો