Wayanad: મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાના આરોપમાં રાહુલ ગાંધીના સ્ટાફ સહિત 4 લોકોની ધરપકડ
એક ટ્વિટમાં ભારતીય યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીના વાયનાડ કાર્યાલયની દિવાલ પર ચઢીને "SFI ધ્વજ લઈને આવેલા ગુંડાઓ" દ્વારા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.
કેરળના (Kerala) વાયનાડ (Wayanad) કાર્યાલયમાં મહાત્મા ગાંધીની તસવીરની તોડફોડ કરવા બદલ સાંસદ રાહુલ ગાંધીના (Rahul Gandhi) સ્ટાફ સહિત ચાર કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે SFI કાર્યકરોએ વાયનાડમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી હતી. એક ટ્વિટમાં ભારતીય યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીના વાયનાડ કાર્યાલયની દિવાલ પર ચઢીને “SFI ધ્વજ લઈને આવેલા ગુંડાઓ” દ્વારા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.
Kerala | 4 Congress workers incl MP Rahul Gandhi’s staff arrested for vandalizing a picture of Mahatma Gandhi in his Wayanand office: Kalpetta police
Congress had earlier alleged that it was SFI workers who vandalized the picture in Congress MP Rahul Gandhi’s office in Wayanad https://t.co/gN9R6GvkUs
— ANI (@ANI) August 19, 2022
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં 24 જૂને દાવો કર્યો હતો કે SFI કાર્યકરો અને નેતાઓના એક જૂથે વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના કાર્યાલય પર બળજબરીથી અતિક્રમણ કર્યું હતું. તેણે ઓફિસના લોકો, રાહુલ ગાંધીના કર્મચારીઓ પર નિર્દયતાથી હુમલો કર્યો. તેણે કહ્યું કે તેમને આનું કારણ ખબર નથી.
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે “તેઓ (કથિત SFI કાર્યકરો) કહે છે કે તેઓ બફર ઝોનના મુદ્દા પર આંદોલન કરી રહ્યા છે. મને ખબર નથી કે આ મામલે રાહુલ ગાંધીની શું ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ જો તે મુદ્દે કંઈ કરી શકાય તો કેરળના સીએમ જ કરી શકે છે.
રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને લખ્યો પત્ર
તેમણે 24 જૂને કહ્યું હતું કે “વાયનાડના સામાન્ય લોકોને જોઈને રાહુલ ગાંધીએ તેમના હસ્તક્ષેપ માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. તેઓએ પીએમને પત્ર પણ લખ્યો હતો, પરંતુ અમને એ સમજાતું નથી કે આ SFI છોકરાઓ રાહુલ ગાંધીની ઓફિસ તરફ કૂચ કેવી રીતે કરી રહ્યા છે અને તેમના પર હુમલો કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ સીપીએમ સરકાર પર લગાવ્યા આરોપ
કોંગ્રેસ નેતાએ રાજ્યની સીપીએમ સરકાર પર રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે “આ પોલીસની હાજરીમાં થયું હતું. આ સીપીએમ નેતૃત્વનું સ્પષ્ટ કાવતરું છે. ED છેલ્લા 5 દિવસથી તેની પૂછપરછ કરી રહી છે, તે પછી મને ખબર નથી કે કેમ કેરળ CPM નરેન્દ્ર મોદી પર હુમલો કરવાના માર્ગે જઈ રહી છે. મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી પગલાં લેશે.