Karnataka: VHPનું જામીયા મસ્જીદમાં પૂજાનાં એલાન બાદ કલમ 144 લાગુ, 500 કરતા વધારે પોલીસ કર્મીઓનો ખડકલો સુક્ષા માટે તૈયાર
VHP દ્વારા આજે શ્રીરંગપટ્ટનમ ચલોનું આહ્વાન કર્યું છે. VHPના એલાનને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સુરક્ષા (Security Alert) જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવી છે.
વિશ્વ હિંદુ પરિષદે(VHP) મસ્જિદમાં જઈને નમાજ અદા કરવાની જાહેરાત કર્યા બાદ કર્ણાટક(Karnataka)માં તણાવ પ્રવર્તી રહ્યો છે અને તેના કારણે શ્રીરંગપટનામાં તૈયારીઓ વધારી દેવામાં આવી છે. VHPએ શનિવારે માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના સ્થિત જામિયા મસ્જિદ(Jamia Masjid)માં નમાજ પઢવાની જાહેરાત કરી છે, પરિષદની જાહેરાત બાદ તંગ વાતાવરણને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કલમ 144 એટલે કે પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા હતા. પ્રશાસને હનુમાન ભક્તો અને વીએચપીના લોકોને રોકવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરી છે જેઓ પૂજા કરવા મસ્જિદમાં જવાની યોજના બનાવી રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદે શનિવારે (4 જૂન) શ્રીરંગપટ્ટનમ ચલોનું આહ્વાન કર્યું છે. VHPના એલાનને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સુરક્ષા જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવી છે. મંડ્યાના પોલીસ અધિક્ષક એન યતીશે ત્યાં હાજર પત્રકારોને જણાવ્યું હતું કે શનિવારે શ્રીરંગપટ્ટનમમાં કોઈ રેલી, સરઘસ કે વિરોધની મંજૂરી નથી.
Karnataka | Section 144 CrPC imposed in Srirangapatna town of Mandya district from 6 am to 6 pm today in wake of ‘Srirangapatna Chalo’ call given by VHP for today.
Over 500 police personnel deployed, 4 check posts installed. Route march taken out in the presence of SP N Yatish. pic.twitter.com/vBMXQ3GXpO
— ANI (@ANI) June 4, 2022
500થી વધુ પોલીસકર્મીઓ ખડકી દેવાયા
તેમણે એવી પણ માહિતી આપી હતી કે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને 4 ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. એસપી એન યતીશની હાજરીમાં રૂટ માર્ચ પણ કાઢવામાં આવી હતી. એસપી એન યતિશે કહ્યું, “શહેરમાં અત્યારે સંપૂર્ણ શાંતિ છે અને આવનારા દિવસોમાં પણ તે એવી જ રહેશે. અમે અમારા માણસો તૈનાત કર્યા છે, અમે ઘણા નેતાઓ સાથે પણ વાત કરી છે અને તેમને જાણ કરી છે કે આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. જો તેનું ઉલ્લંઘન થશે, તો તેઓએ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.”
Prohibitory orders imposed by the taluk admn & there’s no permission for rallies/processions/protests in Srirangapatna town panchayat limits today. In view of this order we’ve ensured adequate bandobast in & around the town so that no untoward incident takes place: Mandya SP pic.twitter.com/7dSrsJZvBM
— ANI (@ANI) June 4, 2022
દારૂના વેચાણ પર પ્રતિબંધ
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, માંડ્યાના ડીસી એસ અશ્વતીએ કહ્યું, “અહીં શનિવારે યોજાનાર સાપ્તાહિક બજારને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ શનિવારે શ્રીરંગપટ્ટનમના 5 કિલોમીટરના દાયરામાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મસ્જિદનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી નથી.