Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2020ના દિલ્હી રમખાણોની તપાસ લઈને કપિલ મિશ્રા પહોંચ્યા ‘સેશન કોર્ટ’

દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાએ બુધવારે સેશન કોર્ટમાં તેમની સામેના તપાસના આદેશને પડકાર્યો હતો. દિલ્હી રમખાણો કેસમાં કપિલ મિશ્રાની ભૂમિકા અંગે મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ તપાસનો આદેશ આપ્યો હતો.

2020ના દિલ્હી રમખાણોની તપાસ લઈને કપિલ મિશ્રા પહોંચ્યા 'સેશન કોર્ટ'
Follow Us:
| Updated on: Apr 09, 2025 | 6:58 PM

2020ના દિલ્હી રમખાણોની તપાસમાં પોલીસને કપિલ મિશ્રા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. જે બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે ફરીથી તપાસનો આદેશ આપ્યો છે. જો કે, કપિલ મિશ્રાએ તેમની સામેના તપાસના આદેશને સેશન કોર્ટમાં પડકાર આપ્યો છે. તેમના વકીલે કહ્યું, ‘શું FIR વગર તપાસ થઈ શકે છે?’

દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાએ બુધવારે સેશન કોર્ટમાં તેમની સામેના તપાસના આદેશને પડકાર્યા હતા. દિલ્હી રમખાણો કેસમાં કપિલ મિશ્રાની ભૂમિકા અંગે મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ તપાસનો આદેશ આપ્યો હતો. ફેબ્રુઆરી 2020માં રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલા રમખાણોના સંદર્ભમાં દિલ્હી પોલીસે પણ કોર્ટના આદેશને પડકાર આપ્યો છે. આ અરજી સ્પેશિયલ જજ કાવેરી બાવેજા દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આ અંગે જસ્ટિસ બાવેજાની બેન્ચ ટૂંક સમયમાં જ કેસની સુનવણી કરી શકે છે.

દિલ્હી સરકારના મંત્રી અને ભાજપના નેતા કપિલ મિશ્રાએ રાઉઝ એવન્યુ સેશન કોર્ટમાં તપાસના આદેશને પડકારેલ છે. બીજું કે, કોર્ટ દિલ્હી પોલીસ દ્વારા વધુ તપાસના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનવણી કરી શકે છે. કપિલ મિશ્રા અને અન્ય લોકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની માંગ પર સુનવણી કરતી વખતે મેજિસ્ટ્રેટ કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. તે જ સમયે, કપિલ મિશ્રાના વકીલે કહ્યું, ‘શું FIR વગર કેસમાં તપાસ થઈ શકે છે?’

Tea: ચા પીતા પહેલા પાણી પીવું કે પછી પીવું?
ઘરમાં કે ઘરની બહાર વડના ઝાડનું ઉગવું શુભ છે કે અશુભ?
અહીં મુસ્લિમ છોકરીઓ અન્ય ધર્મના લોકો સાથે કરી શકે છે લગ્ન...
દુનિયામાં ગમે ત્યાં નોકરી મેળવવી છે સરળ, આ 5 ભાષાઓ શીખી લો
Jio Recharge Plan: 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં દરરોજ મળશે 2GB ડેટા
Bunker Raid : નક્સલીઓનું બંકર અંદરથી કેવું હોય છે?

કપિલ મિશ્રા કથિત ગુના સમયે તે વિસ્તારમાં હાજર હતા

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) વૈભવ ચૌરસિયાએ 1 એપ્રિલના રોજ કહ્યું હતું કે, આ એક દખલપાત્ર ગુનો છે જેની તપાસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ‘એ સ્પષ્ટ છે કે કથિત ગુના સમયે કપિલ મિશ્રા તે વિસ્તારમાં હાજર હતા’ અને આ અંગે તપાસ થવી જરૂરી છે. યમુના વિહારના રહેવાસી મોહમ્મદ ઇલ્યાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી દરમિયાન ACJM વૈભવ ચૌરસિયાએ આ આદેશ આપ્યો હતો.

મોહમ્મદ ઇલ્યાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કપિલ મિશ્રા વિરુદ્ધ એફ.આઈ.આર નોંધવાની વિનંતી કરવામાં આવી હતી. જોકે, દિલ્હી પોલીસે કપિલ મિશ્રા વિરુદ્ધ એફ.આઈ.આર નોંધવાની માંગનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે, ભાજપના નેતા કપિલ મિશ્રાની રમખાણોમાં કોઈ ભૂમિકા નહોતી. તપાસમાં કપિલ મિશ્રા વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવેલ નથી. આ પછી, ACJM કોર્ટે દિલ્હી પોલીસને ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

કપિલ મિશ્રાના વકીલે કહ્યું કે, શું FIR વગર કેસમાં તપાસ થઈ શકે?

કપિલ મિશ્રા વતી હાજર રહેલા વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘ટ્રાયલ કોર્ટે વધુ તપાસનો આદેશ આપ્યો છે.’ આમાં FIR નોંધવાનો કોઈ આદેશ નથી. તેમણે કહ્યું કે, ‘શું FIR વગર કેસમાં તપાસ થઈ શકે?’ જો કેસમાં કોઈ FIR ન હોય તો શું તપાસનો આદેશ આપી શકાય? જો કે, ટ્રાયલ કોર્ટે આદેશમાં પોલીસ સ્ટેશનને લઈને કોઇ ઉલ્લેખ કર્યો નથી.

 દેશમાં રોજબરોજ બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
g clip-path="url(#clip0_868_265)">