AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી યોજનાને બનાવી નિષ્ફળ, મુજાહિદ્દીનના ચાર મદદગારોની હથિયારો સાથે ધરપકડ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓના મદદગારો સક્રિય હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસ દળ સક્રિય થઈ ગયું હતું.

Jammu Kashmir: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી યોજનાને બનાવી નિષ્ફળ, મુજાહિદ્દીનના ચાર મદદગારોની હથિયારો સાથે ધરપકડ
આંતકવાદીઓની પ્રતિકાત્મ્કા ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:04 AM

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના કિશ્તવાડમાં સુરક્ષાદળો (Security forces)ને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) ના ચાર મદદગારોને કસ્ટડીમાં લીધા છે. જેમની પાસેથી હથિયારો અને દારૂગોળો (Arms and Ammunition) મળી આવ્યો છે.પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આતંકીઓના સહયોગીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કિશ્તવાડના એસએસપી શફકત ભટે જણાવ્યું હતું કે એચએમના ચાર ઓવરગ્રાઉન્ડ વર્કરોની UBGLના બે ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે, એકે 47 રાઉન્ડના 120 રાઉન્ડ, એકે 47ના બે ખાલી મેગેઝિન અને એચએમ આઉટફિટના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

એસએસપીએ વધુમાં કહ્યું કે, પોલીસ, સીઆરપીએફ અને સેનાના સંયુક્ત પેટ્રોલિંગે દુલધરના જંગલોમાં આતંકવાદી ઓપરેટિવ્સને જોયા હતા. પેટ્રોલિંગ જોઈને આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી તેઓ પકડાઈ ગયા હતા. તેઓની ઓળખ શફી બકરવાલ, ફરીદ અહેમદ, ઝુબેર અહેમદ (થર્સ્ટ પડયારના) અને ઈસ્માઈલ અગર છીછા, નાગસેની તરીકે કરવામાં આવી છે. પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જેના આધારે કિશ્તવાડ પોલીસ, સેનાની 17 આરઆર (રાષ્ટ્રીય રાઇફલ્સ) અને સીઆરપીએફની 52મી બટાલિયને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ગઈકાલે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા

બીજી તરફ શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં અથડામણમાં બે આતંકવાદી (Terrorists) ઓ માર્યા ગયા હતા. બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેની ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ શુક્રવારે સવારે ઘેરાબંધી કરી અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ગુરુના ગોચર તમને કરી શકે છે આર્થિક નુકસાન
Vastu Tips: મની પ્લાન્ટ પર લાલ દોરો બાંધવાથી શું થાય છે?
માતા -પિતાનું એકમાત્ર સંતાન છે નુસરત ભરુચા, આવો છે પરિવાર
આજનું રાશિફળ તારીખ : 13-05-2025
Brain Hemorrhage : બ્રેઈન હેમરેજ કયા વિટામિનની કમી થી થાય છે?
વિરાટ કોહલીએ જે કર્યું, દુનિયાનો કોઈ કેપ્ટન નથી કરી શક્યો

એવું કહેવાય છે કે સ્થાનિક રહેવાસી પણ આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારમાં મૃત્યુ પામ્યા. એક AK 56 રાઈફલ, એક પિસ્તોલ અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો.

આ એન્કાઉન્ટર એવા સમયે પણ થયું છે જ્યારે એક દિવસ અગાઉ લશ્કના ચાર સહયોગી પોલીસની કસ્ટડીમાં આવ્યા હતા. સુરક્ષા દળોએ બારામુલા અને શોપિયાંમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બારામુલાથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા આતંકવાદીઓના બે સહાયકોની ધરપકડ કરી છે.

દારૂગોળો સહિત અન્ય વસ્તુઓ મળી

પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે તેમના કબજામાંથી દારૂગોળો સહિત અન્ય સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે પોલીસને વિશ્વસનીય સૂત્રો પાસેથી મજબૂત માહિતી મળી હતી કે બારામુલ્લાના મુખ્ય વિસ્તારમાં પોલીસ અને અન્ય સુરક્ષા દળો સામે શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખાચદારી જહાંપોરાના અજાણ્યા આતંકવાદી જૂથ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળોનો ઉપયોગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Russia Ukraine Crisis: જો યુક્રેનની કટોકટી વધુ ઘેરી બનશે તો ભારત પણ અનુભવશે રશિયા પરનાં પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોની અસર

આ પણ વાંચો: Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને દારૂ જપ્ત

g clip-path="url(#clip0_868_265)">