Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર, પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી

સૈન્ય અધિકારીએ કહ્યું, 500 થી 700 લોકો માનસેરા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં LoC નજીક સ્થિત 11 તાલીમ શિબિરોમાં આતંકવાદની તાલીમ લઈ રહ્યા છે. લગભગ 150 આતંકવાદીઓ (Terrorists) જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે.

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર, પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી
Jammu Kashmir Encounter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 3:42 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામ જિલ્લામાં આજે એટલે કે સોમવારે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી છે. એન્કાઉન્ટર અંગે પોલીસ (જમ્મુ કાશ્મીર પોલીસ)ના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, કુલગામના નૌપોરા-ખેરપોરા, ત્રુબજી વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસ અને સુરક્ષા દળો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

અગાઉ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ દાવો કર્યો હતો કે લગભગ 150 આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નિયંત્રણ રેખા પર જુદા જુદા લોન્ચિંગ પેડ પર બેઠા છે અને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. 500 થી 700 અન્ય આતંકવાદીઓ 11 પ્રશિક્ષણ કેન્દ્રોમાં તાલીમ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ એલઓસી પાર ખીણમાં ઘૂસણખોરી કરવાના આતંકવાદીઓના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે.

POKમાં બનેલા લોન્ચિંગ પેડ પર લગભગ 150 આતંકીઓ ઘૂસણખોરી કરવા તૈયાર

સૈન્ય અધિકારીએ કહ્યું, 500 થી 700 લોકો માનસેરા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં LoC નજીક સ્થિત 11 તાલીમ શિબિરોમાં આતંકવાદની તાલીમ લઈ રહ્યા છે. લગભગ 150 આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધી એલઓસી પારથી ઘૂસણખોરીનો કોઈ પ્રયાસ સફળ થયો નથી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં વિદેશી આતંકવાદીઓના માર્યા ગયાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મે મહિના સુધી બધુ બરાબર હતું. ત્યાં એક ચોક્કસ જૂથ હતું જેના વિશે તમે જાણો છો અને તેમને બાંદીપોરા અને સોપોરમાં ગોળીબાર કરવામાં આવ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઘૂસણખોરીની ઘટનાઓ સતત ઘટી રહી છે

સેનાના અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓ હવે ઘૂસણખોરી માટે અગાઉ ઓળખાયેલા માર્ગો સિવાયના અન્ય માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હું એમ નથી કહેતો કે અમે શૂન્ય ઘૂસણખોરી સુનિશ્ચિત કરવા માટે એક વ્યવસ્થા ગોઠવી છે. હા, ઘૂસણખોરીની શક્યતા છે, પરંતુ જે રીતે અમે તાજેતરના વર્ષોમાં એક મજબૂત સુરક્ષા દિવાલ બનાવી છે, જે રીતે અમે સર્વેલન્સ સાધનો ગોઠવ્યા છે, ઘૂસણખોરીનો સફળતા દર નીચો ગયો છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. ટાર્ગેટ કિલિંગ દ્વારા અનેક નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. દરમિયાન, સુરક્ષા એજન્સીઓ એક મોટા પડકારનો સામનો કરી રહી છે. કાશ્મીર ખીણમાં યુએસ નિર્મિત M-4 કાર્બાઇન રાઇફલ પછી, હવે તુર્કી બનાવટની પિસ્તોલ TP9 સુરક્ષા એજન્સીઓ સામે ચિંતા અને પડકાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">